Thursday, September 18, 2025

અમદાવાના આ વિસ્તારમાં ચાલતા હુક્કાબારમાં PCBની તવાઇ, સેમ્પલ જપ્ત કરી FSLમાં મોકલાયા

Share

Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં ચાલતા હુક્કાબાર પર તવાઈ બોલાવવામાં આવી છે. PCB દ્વારા મોડી રાત્રે બિગ ડેડી કાફે પર દરોડા પાડવામાં આવ્યા હતા. PCB દ્વારા દરોડા પાડી હુક્કાના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેમાં નશાકારક તત્વો છે કે નહીં તેની તપાસ માટે તેને સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા છે.હવે રિપોર્ટ આવ્યા બાદ આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ PCB દ્વારા ગઇકાલે મોડીરાત્રે 3-00 કલાકે અમદાવાદના શેલામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.બિગ ડેડી કાફેમાં હુક્કાબાર ચાલતુ હોવાની બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. જ્યાં અંદર એક ટેબલ પર ચાર-પાંચ લોકો ભેગા મળીને હુક્કા પી રહ્યા હતા.દરોડા પાડીને આ હુક્કાબારમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા છે. ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી કે સિંધુ ભવન રોડ અને શેલા રોડની આસપાસ ગેરકાયદેસર હુક્કાબાર ચાલી રહ્યા હતા.જેના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.

આ હુક્કાબારમાં હુક્કામાં નિકોટીનના દ્રવ્યો છે કે નહીં તે અંગેની તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને FSLમાં મોકલવામાં આવ્યા છે. આ જગ્યાના CCTV પણ PCB દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે.PCB દ્વારા સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસે અગાઉ હુક્કાબાર પર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે બોડકદેવ વિસ્તારમાં આવેલા રસ્ટી કો કેફે નામના હુક્કાબારમાં દરોડા પાડ્યા હતા. જેમાં હુક્કાબારને લગતા 19 નિયમોનું પાલન ન થતા હુક્કાબારના માલિક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...