Sunday, November 9, 2025

ટૂંક સમયમાં ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો ટ્રેન સુવિધાનો થશે પ્રારંભ, ટ્રાયલ શરૂ

spot_img
Share

ગાંઘીનગર : અમદાવાદ અને ગાંધીનગરના લોકોને ટૂંક સમયમાં મેટ્રો ટ્રેનની સુવિધા સચિવાલય સુધી મળશે.અમદાવાદમાં ઉતર-દક્ષિણમાં મોટેરાથી એપીએમસી માર્કેટ અને પૂર્વ-પશ્ચિમમાં વસ્ત્રાલથી થલતેજ ગામ સુધીના વિસ્તારોને સફળતાપૂર્વક આવરી લીધા બાદ, હવે મેટ્રો રેલ અમદાવાદ-ગાંઘીનગર ફેઝ 2માં આવતા તમામ સ્ટેશનોને આવરી લેવા માટે તૈયાર છે. ફેઝ-2માં ગાંધીનગર સેકટર 1 સુધી દોડતી મેટ્રો રેલ આગામી થોડાક દિવસોમાં જ સચિવાલય સુધી દોડતી જોવા મળશે. હાલ ગાંધીનગર સેકટર 1થી સચિવાલય સુધી મેટ્રો રેલની ટ્રાયલ રન યોજાઈ રહી છે.

ગુજરાત મેટ્રો ટ્રેન રેલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર સચિવાલય સુધી ટ્રાયલ શરૂ કરાયો છે, આ ટ્રાયલ સફળ થયા બાદ મેટ્રો ટ્રેન ટૂંક સમયમાં સચિવાલય સુધી શરુ કરવામાં આવશે. આગામી થોડાક દિવસોમાં મેટ્રો રેલ ફેઝ 2 સચિવાલય સુધી દોડતી જોવા મળશે, હાલમાં ગાંધીનગરના સેકટર 1 સુધી દોડતી મેટ્રો રેલ, સચિવાલય સુધી નિયમિતપણે દોડાવવા માટે, ટ્રાયલ લેવાઈ રહી છે.ગાંધીનગર સેકટર એકથી લઈને સચિવાલય સુધીમાં કુલ બે મેટ્રો સ્ટેશન આવે છે. જેમાં એક છે સેકટર 10 અને બીજુ છે સચિવાલય.

અમદાવાદ મેટ્રો ફેઝ 2 અંતર્ગત મેટ્રો રેલ, અમદાવાદના સાબરમતી મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના વિસ્તારને આવરી લેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...