Wednesday, September 17, 2025

ટૂંક સમયમાં ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો ટ્રેન સુવિધાનો થશે પ્રારંભ, ટ્રાયલ શરૂ

Share

Share

ગાંઘીનગર : અમદાવાદ અને ગાંધીનગરના લોકોને ટૂંક સમયમાં મેટ્રો ટ્રેનની સુવિધા સચિવાલય સુધી મળશે.અમદાવાદમાં ઉતર-દક્ષિણમાં મોટેરાથી એપીએમસી માર્કેટ અને પૂર્વ-પશ્ચિમમાં વસ્ત્રાલથી થલતેજ ગામ સુધીના વિસ્તારોને સફળતાપૂર્વક આવરી લીધા બાદ, હવે મેટ્રો રેલ અમદાવાદ-ગાંઘીનગર ફેઝ 2માં આવતા તમામ સ્ટેશનોને આવરી લેવા માટે તૈયાર છે. ફેઝ-2માં ગાંધીનગર સેકટર 1 સુધી દોડતી મેટ્રો રેલ આગામી થોડાક દિવસોમાં જ સચિવાલય સુધી દોડતી જોવા મળશે. હાલ ગાંધીનગર સેકટર 1થી સચિવાલય સુધી મેટ્રો રેલની ટ્રાયલ રન યોજાઈ રહી છે.

ગુજરાત મેટ્રો ટ્રેન રેલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર સચિવાલય સુધી ટ્રાયલ શરૂ કરાયો છે, આ ટ્રાયલ સફળ થયા બાદ મેટ્રો ટ્રેન ટૂંક સમયમાં સચિવાલય સુધી શરુ કરવામાં આવશે. આગામી થોડાક દિવસોમાં મેટ્રો રેલ ફેઝ 2 સચિવાલય સુધી દોડતી જોવા મળશે, હાલમાં ગાંધીનગરના સેકટર 1 સુધી દોડતી મેટ્રો રેલ, સચિવાલય સુધી નિયમિતપણે દોડાવવા માટે, ટ્રાયલ લેવાઈ રહી છે.ગાંધીનગર સેકટર એકથી લઈને સચિવાલય સુધીમાં કુલ બે મેટ્રો સ્ટેશન આવે છે. જેમાં એક છે સેકટર 10 અને બીજુ છે સચિવાલય.

અમદાવાદ મેટ્રો ફેઝ 2 અંતર્ગત મેટ્રો રેલ, અમદાવાદના સાબરમતી મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના વિસ્તારને આવરી લેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...