ગાંઘીનગર : અમદાવાદ અને ગાંધીનગરના લોકોને ટૂંક સમયમાં મેટ્રો ટ્રેનની સુવિધા સચિવાલય સુધી મળશે.અમદાવાદમાં ઉતર-દક્ષિણમાં મોટેરાથી એપીએમસી માર્કેટ અને પૂર્વ-પશ્ચિમમાં વસ્ત્રાલથી થલતેજ ગામ સુધીના વિસ્તારોને સફળતાપૂર્વક આવરી લીધા બાદ, હવે મેટ્રો રેલ અમદાવાદ-ગાંઘીનગર ફેઝ 2માં આવતા તમામ સ્ટેશનોને આવરી લેવા માટે તૈયાર છે. ફેઝ-2માં ગાંધીનગર સેકટર 1 સુધી દોડતી મેટ્રો રેલ આગામી થોડાક દિવસોમાં જ સચિવાલય સુધી દોડતી જોવા મળશે. હાલ ગાંધીનગર સેકટર 1થી સચિવાલય સુધી મેટ્રો રેલની ટ્રાયલ રન યોજાઈ રહી છે.
ગુજરાત મેટ્રો ટ્રેન રેલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર સચિવાલય સુધી ટ્રાયલ શરૂ કરાયો છે, આ ટ્રાયલ સફળ થયા બાદ મેટ્રો ટ્રેન ટૂંક સમયમાં સચિવાલય સુધી શરુ કરવામાં આવશે. આગામી થોડાક દિવસોમાં મેટ્રો રેલ ફેઝ 2 સચિવાલય સુધી દોડતી જોવા મળશે, હાલમાં ગાંધીનગરના સેકટર 1 સુધી દોડતી મેટ્રો રેલ, સચિવાલય સુધી નિયમિતપણે દોડાવવા માટે, ટ્રાયલ લેવાઈ રહી છે.ગાંધીનગર સેકટર એકથી લઈને સચિવાલય સુધીમાં કુલ બે મેટ્રો સ્ટેશન આવે છે. જેમાં એક છે સેકટર 10 અને બીજુ છે સચિવાલય.
અમદાવાદ મેટ્રો ફેઝ 2 અંતર્ગત મેટ્રો રેલ, અમદાવાદના સાબરમતી મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના વિસ્તારને આવરી લેશે.