Sunday, November 9, 2025

સરકાર ટૂંક જ સમયમાં શરૂ કરશે “સીએમ ઓન ફોન’ સેવા, ફરિયાદ સીધી CM સાંભળશે

spot_img
Share

ગાંધીનગર : નાગરિકોને કોઈને કોઈ સમસ્યાઓ હોય છે. અનેકવાર એવુ બને છે કે લોકો સરકારી ઓફિસોના ધરમધક્કા ખાતા રહે છે, પરંતુ નિરાકરણ આવતુ નથી. ગુજરાત સરકાર સામાન્ય નાગરીકો માટે એક નવી સેવા શરૂ કરવા જઈ રહી છે. સરકાર ટૂંક સમયમાં ‘સીએમ ઓન ફોન’ નામની ટેલિફોન હેલ્પલાઇન સેવા શરૂ કરી રહી છે. હવે ગુજરાતના સામાન્ય નાગરિકો સીધા રાજ્યના મુખ્યમંત્રીનો સંપર્ક કરી શકશે. જેમાં લોકો પોતાની ફરિયાદો અને પ્રશ્નો સીધા મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સુધી પહોંચાડી શકશે. આ યોજના માટે રાજ્ય સરકારે પ્રારંભિક બજેટ 1 કરોડ ફાળવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક નવી પહેલમાં લોકો દ્વારા હેલ્પલાઈન પર ઉઠાવવામાં આવેલી ફરિયાદોનું સમાધાન આ કામ માટે રાખવામાં આવેલા અધિકારીઓની ટીમ દ્વારા કરવામાં આવશે. આ માટે બજેટમાં સામાન્ય વહીવટી વિભાગ માટે રાજ્ય સરકારે એક કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. હવે આ વિભાગ ટૂંક સમયમાં ત્રણ સ્તરીય વ્યવસ્થા શરૂ કરવા માટે એજન્સીઓને નિયુક્ત કરશે. તમને જણાવી દઈએ કે હાલ ફરિયાદ માટે સ્વાગત ઓનલાઇન સેવા ઉપલબ્ધ છે, જેમાં નાગરિકો સીધા જ મુખ્યમંત્રીને ફરિયાદ કરે છે, પરંતુ તે લેખિત સ્વરૂપે કરવાની રહે છે. જ્યારે અહીં નાગરિકો ટેકનોલોજીથી ફરિયાદ નોંધાવી શકશે.

આ હેલ્પલાઈન માત્ર ફોન કોલ્સ જ નહીં, તે ઉપરાંત વ્હોટ્સએપ જેવા સોશિયલ મીડિયા, ઇમેલ અને ફોન મારફતે ફરિયાદ કરી શકશે. આ હેલ્પલાઈનનો વ્યાપ ખૂબ વિશાળ હશે. બીજા કેટલાંક રાજ્યોમાં આવી હેલ્પલાઈન ચાલે છે, જેમાં રોજના 5થી 50 હજાર ફોન આવે છે, અમે અહીં રોજના 1 લાખ ફોન કોલ્સ રિસીવ કરી શકાય તે રીતે વ્યવસ્થા કરીશું.

હવે ગુજરાતના નાગરિકો સીએમ ઓન ફોન દ્વારા મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક કરી શકશે. નાગરિકો મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જોડાઈ શકશે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ વોટ્સએપ નંબરના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા કોઈ પણ સંપર્ક કરી શકે છે. સીએમ દ્વારા 7030930344 વોટ્સએપ નંબર જાહેર કરાયો છે.

નોંધ: કોઈ સરકારી કર્મચારીને પોતાની કચેરી સંદર્ભની ફરિયાદ હોય અથવા કોઈ કિસ્સામાં કોર્ટ કેસ થયો હશે તો તેને લઈને આ હેલ્પલાઇનથી ફરિયાદ નોંધાશે નહીં. તે સિવાય કોઇ નાગરિકને યોજના કે સરકારી સેવા સંબંધિત માહિતી જોઈતી હશે તો તે પણ હેલ્પલાઈન પર મળશે. આ સેવા સંપૂર્ણપણે નાગરિકોને સમર્પિત હશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...