Saturday, July 25, 2026

શહેરમાં સફાઈ કામદારોના જર્જરીત સ્ટાફ ક્વાર્ટર્સ રીડેવલપમેન્ટ કરવા અંગેનો નિર્ણય લેવાયો

spot_img
Share

અમદાવાદ : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને વર્ષો પહેલા ક્વાર્ટર્સ ફાળવવામાં આવ્યા હતા. 30 વર્ષથી વધુ જુના મકાનો હોવાના કારણે ભયજનક અને જર્જરિત થઈ ગયા છે, જેના કારણે હવે તેને રીડેવલપમેન્ટ કરવા અંગેનો નિર્ણય તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિ. દ્વારા સફાઈ કામદારો માટે 30 વર્ષ પહેલાં બનાવેલા 7 વિવિધ ક્વાર્ટસ જર્જરિત થઇ જતાં હવે મ્યુનિ. દ્વારા રિડેવલપમેન્ટ યોજના હેઠળ તમામ ક્વાર્ટર્સને નવેસરથી બનાવવા માટે તૈયારી દર્શાવી છે. આ ક્વાર્ટર્સમાં અત્યાર સુધી 1231 જેટલા લાભાર્થીઓને ક્વાર્ટર્સ ફાળવવામાં આવ્યા હતા.શહેરના જમાલપુર, શાહપુર, ગિરધરનગર, ચામુંડા બ્રિજ સહિતના કુલ 1231 જેટલા ક્વાર્ટર્સ રીડેવલપમેન્ટ કરવામાં આવશે.ચોથા વર્ગના કર્મચારીઓને વર્ષો પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ફાળવાયેલા મકાનો જર્જરિત અને ભયજનક બની ગયા હોવાથી કોઈપણ સમયે દુર્ઘટના સર્જાવાની શક્યતા છે, જેના પગલે તેઓને અવારનવાર નોટિસ આપી રીપેરીંગ કરવા જાણ કરવામાં આવે છે.

વર્ષો પહેલાં ફાળવાયેલા જાહેર આવાસોના પ્લોટ વિસ્તારનાં અંદરનાં માર્જીનમાં, ટેરેસ પર વગેરે જગ્યા પર વધારાનાં ઝુંપડા બાંધી લોકો રહે છે. આ યોજનામાં સમાવેશ કરવા અને સમાવેશ કરવામાં આવે તો જ રીડેવલપમેન્ટ કરવું તે મુજબની અમદાવાદ મ્યુનિસિપલ સર્વન્ટ એસોસીએશનની રજુઆત કરાઈ હતી. પરંતુ, જાહેર આવાસોનો પુનઃવિકાસ યોજના-2016ની જોગવાઈ મુજબ મુળ લાભાર્થી સીવાય આ રીતે વધારાનાં રહેતા લોકોને મકાન આપી શકાતા ન હોવાથી પોલિસીમાં સુધારો કરવા માટે દરખાસ્ત મંજૂર કરીને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે.

મ્યુનિ.ના સફાઇ કર્મચારીઓના આ ક્વાર્ટર્સમાં મ્યુનિ.માં કામ કરતાં સફાઇ કામદારો દ્વારા જ ઝૂંપડાં બાંધીને રહેવા લાગ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આવા સફાઇ કામદારોને 30 ચો.મી. કાર્પેટ એરિયાનું મકાન 3 લાખમાં આપવામાં આવશે. જોકે તેમાં મૂળ લાભાર્થી સિવાયના વધારાના રહેનાર લોકોને જ લાબ મળશે, મુળ લાભાર્થીનું ઝૂંપડું હશે તો તેમને આ યોજના હેઠળ મકાન નહીં મળે. મૂળ લાભાર્થીના પરિવારના સભ્ય હોય તો તેમને પણ આ મકાન નહી મળે. એટલું જ નહી જે પણ આ રીતે ઝૂંપડું બાંધીને રહેતા હોય તેમણે છેલ્લા 10 વર્ષમાં મ્યુનિ.ના પગારમાં એચઆરએ (હાઉસિંગ રેન્ટ એલાઉન્સ) મેળવ્યું ન હોવું જોઇએ તેની ચકાસણી કરીને બાદમાં જ આ મકાનની ફાળવણી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...