Saturday, February 7, 2026

શહેરમાં સફાઈ કામદારોના જર્જરીત સ્ટાફ ક્વાર્ટર્સ રીડેવલપમેન્ટ કરવા અંગેનો નિર્ણય લેવાયો

spot_img
Share

અમદાવાદ : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને વર્ષો પહેલા ક્વાર્ટર્સ ફાળવવામાં આવ્યા હતા. 30 વર્ષથી વધુ જુના મકાનો હોવાના કારણે ભયજનક અને જર્જરિત થઈ ગયા છે, જેના કારણે હવે તેને રીડેવલપમેન્ટ કરવા અંગેનો નિર્ણય તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિ. દ્વારા સફાઈ કામદારો માટે 30 વર્ષ પહેલાં બનાવેલા 7 વિવિધ ક્વાર્ટસ જર્જરિત થઇ જતાં હવે મ્યુનિ. દ્વારા રિડેવલપમેન્ટ યોજના હેઠળ તમામ ક્વાર્ટર્સને નવેસરથી બનાવવા માટે તૈયારી દર્શાવી છે. આ ક્વાર્ટર્સમાં અત્યાર સુધી 1231 જેટલા લાભાર્થીઓને ક્વાર્ટર્સ ફાળવવામાં આવ્યા હતા.શહેરના જમાલપુર, શાહપુર, ગિરધરનગર, ચામુંડા બ્રિજ સહિતના કુલ 1231 જેટલા ક્વાર્ટર્સ રીડેવલપમેન્ટ કરવામાં આવશે.ચોથા વર્ગના કર્મચારીઓને વર્ષો પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ફાળવાયેલા મકાનો જર્જરિત અને ભયજનક બની ગયા હોવાથી કોઈપણ સમયે દુર્ઘટના સર્જાવાની શક્યતા છે, જેના પગલે તેઓને અવારનવાર નોટિસ આપી રીપેરીંગ કરવા જાણ કરવામાં આવે છે.

વર્ષો પહેલાં ફાળવાયેલા જાહેર આવાસોના પ્લોટ વિસ્તારનાં અંદરનાં માર્જીનમાં, ટેરેસ પર વગેરે જગ્યા પર વધારાનાં ઝુંપડા બાંધી લોકો રહે છે. આ યોજનામાં સમાવેશ કરવા અને સમાવેશ કરવામાં આવે તો જ રીડેવલપમેન્ટ કરવું તે મુજબની અમદાવાદ મ્યુનિસિપલ સર્વન્ટ એસોસીએશનની રજુઆત કરાઈ હતી. પરંતુ, જાહેર આવાસોનો પુનઃવિકાસ યોજના-2016ની જોગવાઈ મુજબ મુળ લાભાર્થી સીવાય આ રીતે વધારાનાં રહેતા લોકોને મકાન આપી શકાતા ન હોવાથી પોલિસીમાં સુધારો કરવા માટે દરખાસ્ત મંજૂર કરીને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે.

મ્યુનિ.ના સફાઇ કર્મચારીઓના આ ક્વાર્ટર્સમાં મ્યુનિ.માં કામ કરતાં સફાઇ કામદારો દ્વારા જ ઝૂંપડાં બાંધીને રહેવા લાગ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આવા સફાઇ કામદારોને 30 ચો.મી. કાર્પેટ એરિયાનું મકાન 3 લાખમાં આપવામાં આવશે. જોકે તેમાં મૂળ લાભાર્થી સિવાયના વધારાના રહેનાર લોકોને જ લાબ મળશે, મુળ લાભાર્થીનું ઝૂંપડું હશે તો તેમને આ યોજના હેઠળ મકાન નહીં મળે. મૂળ લાભાર્થીના પરિવારના સભ્ય હોય તો તેમને પણ આ મકાન નહી મળે. એટલું જ નહી જે પણ આ રીતે ઝૂંપડું બાંધીને રહેતા હોય તેમણે છેલ્લા 10 વર્ષમાં મ્યુનિ.ના પગારમાં એચઆરએ (હાઉસિંગ રેન્ટ એલાઉન્સ) મેળવ્યું ન હોવું જોઇએ તેની ચકાસણી કરીને બાદમાં જ આ મકાનની ફાળવણી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...