Thursday, November 13, 2025

શહેરમાં સફાઈ કામદારોના જર્જરીત સ્ટાફ ક્વાર્ટર્સ રીડેવલપમેન્ટ કરવા અંગેનો નિર્ણય લેવાયો

spot_img
Share

અમદાવાદ : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને વર્ષો પહેલા ક્વાર્ટર્સ ફાળવવામાં આવ્યા હતા. 30 વર્ષથી વધુ જુના મકાનો હોવાના કારણે ભયજનક અને જર્જરિત થઈ ગયા છે, જેના કારણે હવે તેને રીડેવલપમેન્ટ કરવા અંગેનો નિર્ણય તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિ. દ્વારા સફાઈ કામદારો માટે 30 વર્ષ પહેલાં બનાવેલા 7 વિવિધ ક્વાર્ટસ જર્જરિત થઇ જતાં હવે મ્યુનિ. દ્વારા રિડેવલપમેન્ટ યોજના હેઠળ તમામ ક્વાર્ટર્સને નવેસરથી બનાવવા માટે તૈયારી દર્શાવી છે. આ ક્વાર્ટર્સમાં અત્યાર સુધી 1231 જેટલા લાભાર્થીઓને ક્વાર્ટર્સ ફાળવવામાં આવ્યા હતા.શહેરના જમાલપુર, શાહપુર, ગિરધરનગર, ચામુંડા બ્રિજ સહિતના કુલ 1231 જેટલા ક્વાર્ટર્સ રીડેવલપમેન્ટ કરવામાં આવશે.ચોથા વર્ગના કર્મચારીઓને વર્ષો પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ફાળવાયેલા મકાનો જર્જરિત અને ભયજનક બની ગયા હોવાથી કોઈપણ સમયે દુર્ઘટના સર્જાવાની શક્યતા છે, જેના પગલે તેઓને અવારનવાર નોટિસ આપી રીપેરીંગ કરવા જાણ કરવામાં આવે છે.

વર્ષો પહેલાં ફાળવાયેલા જાહેર આવાસોના પ્લોટ વિસ્તારનાં અંદરનાં માર્જીનમાં, ટેરેસ પર વગેરે જગ્યા પર વધારાનાં ઝુંપડા બાંધી લોકો રહે છે. આ યોજનામાં સમાવેશ કરવા અને સમાવેશ કરવામાં આવે તો જ રીડેવલપમેન્ટ કરવું તે મુજબની અમદાવાદ મ્યુનિસિપલ સર્વન્ટ એસોસીએશનની રજુઆત કરાઈ હતી. પરંતુ, જાહેર આવાસોનો પુનઃવિકાસ યોજના-2016ની જોગવાઈ મુજબ મુળ લાભાર્થી સીવાય આ રીતે વધારાનાં રહેતા લોકોને મકાન આપી શકાતા ન હોવાથી પોલિસીમાં સુધારો કરવા માટે દરખાસ્ત મંજૂર કરીને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે.

મ્યુનિ.ના સફાઇ કર્મચારીઓના આ ક્વાર્ટર્સમાં મ્યુનિ.માં કામ કરતાં સફાઇ કામદારો દ્વારા જ ઝૂંપડાં બાંધીને રહેવા લાગ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આવા સફાઇ કામદારોને 30 ચો.મી. કાર્પેટ એરિયાનું મકાન 3 લાખમાં આપવામાં આવશે. જોકે તેમાં મૂળ લાભાર્થી સિવાયના વધારાના રહેનાર લોકોને જ લાબ મળશે, મુળ લાભાર્થીનું ઝૂંપડું હશે તો તેમને આ યોજના હેઠળ મકાન નહીં મળે. મૂળ લાભાર્થીના પરિવારના સભ્ય હોય તો તેમને પણ આ મકાન નહી મળે. એટલું જ નહી જે પણ આ રીતે ઝૂંપડું બાંધીને રહેતા હોય તેમણે છેલ્લા 10 વર્ષમાં મ્યુનિ.ના પગારમાં એચઆરએ (હાઉસિંગ રેન્ટ એલાઉન્સ) મેળવ્યું ન હોવું જોઇએ તેની ચકાસણી કરીને બાદમાં જ આ મકાનની ફાળવણી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...