Sunday, November 9, 2025

મેદસ્વિતા મુક્ત ગુજરાત માટે એકશન પ્લાન : કોલેજ-યુનિવર્સિટીમાં સેમીનાર, જંકફૂડને જાકારો આપવા સહિતના અભિયાન

spot_img
Share

ગાંધીનગર: ગુજરાત સરકારે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનની જાહેરાત કર્યા બાદ 2025ના વર્ષમાં કેવી રીતે કામગીરી કરાશે તેનો એકશન પ્લાન જાહેર કર્યો છે.જેમાં પોલીસ કર્મચારીઓથી લઈને તમામ સરકારી અધિકારી-કર્મચારીઓ, નાગરિકો તમામ સુધી વિવિધ કાર્યક્રમો થકી પહોંચવાનો પ્રયાસ કરી મેદસ્વિતા સામે સામૂહિક જાગૃતિ ફેલાવવામાં આવશે. તે માટે ઉદ્યોગપતિઓની પણ મદદ લેવાશે અને જંક ફુડને જાકારો આપવા માટે પણ અભિયાન ચલાવવામાં આવશે.

વિશ્વમાં 18 વર્ષથી ઉપરના લોકો પૈકીના 43 ટકા લોકો સરેરાશ કરતા વધુ વજન ધરાવતા હોવાનો અને 16 ટકા લોકો મેદસ્વિતા ધરાવતા હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે. ડાયાબીટીસ અને મેદસ્વિતા અટકાવવા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. રાજય સરકાર આ માટે તમામ વિભાગો થકી સામુહિક કાર્યક્રમો યોજશે.

તે માટે ઉદ્યોગપતિઓને પણ જોડીને આ મુદ્દે પ્રચાર પ્રસાર કરાશે. સરકારી અધિકારી-કર્મચારીઓને હેલ્થ ટીપ્સ અને રૂટીન ડાયેટની માહિતી સાથે અપડેટ રાખતી મોબાઈલ એપ્લીકેશનનું લોન્ચીંગ કરાશે. તમામ કોલેજ-યુનિવર્સિટીમાં મેદસ્વિતા મુક્ત ગુજરાતની થીમ પર સેમીનાર યોજવા સાથે તેમની કેન્ટીનમાં મિલેટસ (શ્રી અન્ન)નો પ્રચાર કરવામાં આવશે.

જંક ફુડનો યુવાઓ ઉપયોગ ઓછો કરતા થાય તે માટે વિવિધ સ્પર્ધાનું પણ આયોજન કરાશે. આરોગ્ય વિભાગ દ્વારા મેદસ્વિતા ના થાય તે માટે ડાયેટિશિયન અને ન્યુટ્રીશનિસ્ટ દ્વારા ખાસ ઓપીડી શરુ કરવામાં આવશે. વિવિધ સંપ્રદાય અને સંતોની સરદાર મદદ લેશે અને લોકોમાં સ્થુળતા સંદર્ભે જાગૃતિ ફેલાવવામાં આવશે.સોશિયલ મીડિયા થકી પ્રચાર સાથે શેરી નાટક-ડાયરાના કાર્યક્રમનું પણ આયોજન કરાશે. મહિલા અને બાળકોમાં મેદસ્વિતા સંદર્ભે પણ વિવિધ પ્રકારના અભિયાન શરૂ કરવામાં આવશે.

સરકારી અધિકારી-કર્મચારીની માહિતી પણ આ માટે ખાસ બનાવવામાં આવનારી મોબાઈલ એપમાં મૂકવા માટે તાકીદ કરવામાં આવી છે. પોલીસ માટે ખાસ પરેડ સાથે ફિટનેસ ટિપ્સ બાય પોલીસ જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...