Wednesday, January 14, 2026

મેદસ્વિતા મુક્ત ગુજરાત માટે એકશન પ્લાન : કોલેજ-યુનિવર્સિટીમાં સેમીનાર, જંકફૂડને જાકારો આપવા સહિતના અભિયાન

spot_img
Share

ગાંધીનગર: ગુજરાત સરકારે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનની જાહેરાત કર્યા બાદ 2025ના વર્ષમાં કેવી રીતે કામગીરી કરાશે તેનો એકશન પ્લાન જાહેર કર્યો છે.જેમાં પોલીસ કર્મચારીઓથી લઈને તમામ સરકારી અધિકારી-કર્મચારીઓ, નાગરિકો તમામ સુધી વિવિધ કાર્યક્રમો થકી પહોંચવાનો પ્રયાસ કરી મેદસ્વિતા સામે સામૂહિક જાગૃતિ ફેલાવવામાં આવશે. તે માટે ઉદ્યોગપતિઓની પણ મદદ લેવાશે અને જંક ફુડને જાકારો આપવા માટે પણ અભિયાન ચલાવવામાં આવશે.

વિશ્વમાં 18 વર્ષથી ઉપરના લોકો પૈકીના 43 ટકા લોકો સરેરાશ કરતા વધુ વજન ધરાવતા હોવાનો અને 16 ટકા લોકો મેદસ્વિતા ધરાવતા હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે. ડાયાબીટીસ અને મેદસ્વિતા અટકાવવા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. રાજય સરકાર આ માટે તમામ વિભાગો થકી સામુહિક કાર્યક્રમો યોજશે.

તે માટે ઉદ્યોગપતિઓને પણ જોડીને આ મુદ્દે પ્રચાર પ્રસાર કરાશે. સરકારી અધિકારી-કર્મચારીઓને હેલ્થ ટીપ્સ અને રૂટીન ડાયેટની માહિતી સાથે અપડેટ રાખતી મોબાઈલ એપ્લીકેશનનું લોન્ચીંગ કરાશે. તમામ કોલેજ-યુનિવર્સિટીમાં મેદસ્વિતા મુક્ત ગુજરાતની થીમ પર સેમીનાર યોજવા સાથે તેમની કેન્ટીનમાં મિલેટસ (શ્રી અન્ન)નો પ્રચાર કરવામાં આવશે.

જંક ફુડનો યુવાઓ ઉપયોગ ઓછો કરતા થાય તે માટે વિવિધ સ્પર્ધાનું પણ આયોજન કરાશે. આરોગ્ય વિભાગ દ્વારા મેદસ્વિતા ના થાય તે માટે ડાયેટિશિયન અને ન્યુટ્રીશનિસ્ટ દ્વારા ખાસ ઓપીડી શરુ કરવામાં આવશે. વિવિધ સંપ્રદાય અને સંતોની સરદાર મદદ લેશે અને લોકોમાં સ્થુળતા સંદર્ભે જાગૃતિ ફેલાવવામાં આવશે.સોશિયલ મીડિયા થકી પ્રચાર સાથે શેરી નાટક-ડાયરાના કાર્યક્રમનું પણ આયોજન કરાશે. મહિલા અને બાળકોમાં મેદસ્વિતા સંદર્ભે પણ વિવિધ પ્રકારના અભિયાન શરૂ કરવામાં આવશે.

સરકારી અધિકારી-કર્મચારીની માહિતી પણ આ માટે ખાસ બનાવવામાં આવનારી મોબાઈલ એપમાં મૂકવા માટે તાકીદ કરવામાં આવી છે. પોલીસ માટે ખાસ પરેડ સાથે ફિટનેસ ટિપ્સ બાય પોલીસ જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...