Tuesday, February 17, 2026

મેદસ્વિતા મુક્ત ગુજરાત માટે એકશન પ્લાન : કોલેજ-યુનિવર્સિટીમાં સેમીનાર, જંકફૂડને જાકારો આપવા સહિતના અભિયાન

spot_img
Share

ગાંધીનગર: ગુજરાત સરકારે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનની જાહેરાત કર્યા બાદ 2025ના વર્ષમાં કેવી રીતે કામગીરી કરાશે તેનો એકશન પ્લાન જાહેર કર્યો છે.જેમાં પોલીસ કર્મચારીઓથી લઈને તમામ સરકારી અધિકારી-કર્મચારીઓ, નાગરિકો તમામ સુધી વિવિધ કાર્યક્રમો થકી પહોંચવાનો પ્રયાસ કરી મેદસ્વિતા સામે સામૂહિક જાગૃતિ ફેલાવવામાં આવશે. તે માટે ઉદ્યોગપતિઓની પણ મદદ લેવાશે અને જંક ફુડને જાકારો આપવા માટે પણ અભિયાન ચલાવવામાં આવશે.

વિશ્વમાં 18 વર્ષથી ઉપરના લોકો પૈકીના 43 ટકા લોકો સરેરાશ કરતા વધુ વજન ધરાવતા હોવાનો અને 16 ટકા લોકો મેદસ્વિતા ધરાવતા હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે. ડાયાબીટીસ અને મેદસ્વિતા અટકાવવા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. રાજય સરકાર આ માટે તમામ વિભાગો થકી સામુહિક કાર્યક્રમો યોજશે.

તે માટે ઉદ્યોગપતિઓને પણ જોડીને આ મુદ્દે પ્રચાર પ્રસાર કરાશે. સરકારી અધિકારી-કર્મચારીઓને હેલ્થ ટીપ્સ અને રૂટીન ડાયેટની માહિતી સાથે અપડેટ રાખતી મોબાઈલ એપ્લીકેશનનું લોન્ચીંગ કરાશે. તમામ કોલેજ-યુનિવર્સિટીમાં મેદસ્વિતા મુક્ત ગુજરાતની થીમ પર સેમીનાર યોજવા સાથે તેમની કેન્ટીનમાં મિલેટસ (શ્રી અન્ન)નો પ્રચાર કરવામાં આવશે.

જંક ફુડનો યુવાઓ ઉપયોગ ઓછો કરતા થાય તે માટે વિવિધ સ્પર્ધાનું પણ આયોજન કરાશે. આરોગ્ય વિભાગ દ્વારા મેદસ્વિતા ના થાય તે માટે ડાયેટિશિયન અને ન્યુટ્રીશનિસ્ટ દ્વારા ખાસ ઓપીડી શરુ કરવામાં આવશે. વિવિધ સંપ્રદાય અને સંતોની સરદાર મદદ લેશે અને લોકોમાં સ્થુળતા સંદર્ભે જાગૃતિ ફેલાવવામાં આવશે.સોશિયલ મીડિયા થકી પ્રચાર સાથે શેરી નાટક-ડાયરાના કાર્યક્રમનું પણ આયોજન કરાશે. મહિલા અને બાળકોમાં મેદસ્વિતા સંદર્ભે પણ વિવિધ પ્રકારના અભિયાન શરૂ કરવામાં આવશે.

સરકારી અધિકારી-કર્મચારીની માહિતી પણ આ માટે ખાસ બનાવવામાં આવનારી મોબાઈલ એપમાં મૂકવા માટે તાકીદ કરવામાં આવી છે. પોલીસ માટે ખાસ પરેડ સાથે ફિટનેસ ટિપ્સ બાય પોલીસ જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...