Sunday, November 9, 2025

અંબાજી ખાતે ગબ્બર પર ત્રણ દિવસ દર્શન અને રોપ-વે સેવા બંધ રહેશે, જાણો શું છે કારણ?

spot_img
Share

અંબાજી : ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર 3 દિવસ દર્શન અને રોપ વે સેવા બંધ કરવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. મંદિર ટ્રસ્ટના આ નિર્ણય પાછળ કારણ એ છે કે, ગત 2 દિવસ પહેલા મહેસાણા અને અમદાવાદના શ્રદ્ધાળુઓ દર્શાનાર્થે આવ્યા હતા, ત્યારે ગબ્બર પર અચાનક ભમરા ઉડ્યા હતા અને 25 લોકોને ડંખ માર્યા હતા. આ બનાવ બાદ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા આગામી 15 થી 17 એપ્રિલ સુધી દર્શન અને રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, ત્યારે હવે મધપૂડા ઉડાડવાની કામગીરી હાથ ધરાશે.

મળતી માહિતી મુજબ, મંદિર ટ્રસ્ટે જણાવ્યા મુજબ, અંબાજીમાં થોડા દિવસ પહેલા ગબ્બર દર્શન વખતે શ્રદ્ધાળુઓને ભમરા કરડ્યા હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી 3 દિવસ ગબ્બર દર્શન 51 શક્તિપીઠ પરિક્રમા અને રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગબ્બર માર્ગ ઉપર અને પરિક્રમા માર્ગ ઉપર વિવિધ જગ્યા ઉપર અનેક લાગેલા મધપૂડા ઉડાડવાની કામગીરી ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવશે. અંબાજી ટ્રસ્ટ દ્વારા 15થી 17 એપ્રિલ સુધી ગબ્બર દર્શન અને રોપ વે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, ત્યારે મધપૂડા ઉડાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી 18 એપ્રિલથી ગબ્બર દર્શન રાબેતા મુજબ શરૂ થશે.

યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના પ્રાગટ્યસ્થાન એવા ગબ્બર પર્વત ઉપર માના સ્થાનકે આવતા શ્રધ્ધાળુઓને પર્વતની શીલાઓ ઉપર બેઠેલા ભમરિયા મધની માખીઓ કરડવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આજ રોજ ગબ્બરના પહાડમાં મધમાખીના છત્તામાંથી ભમરા ઉડતાની સાથે જ 25થી વધુ યાત્રીકોને ડંખ માર્યા હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનાને પગલે 108ને કોલ કરાતાં ત્રણ જેટલી એમ્બ્યુલન્સ દોડતી થઇ હતી. 20થી 25 જેટલાં યાત્રીકોને ભમરા ડંખતા અંબાજીની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

મધમાખીના ઉપદ્રવનું મુખ્ય કારણ કાળજાળ ગરમી હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે. મધપૂડા ઉડાડવાની કામગીરીને પગલે અંબાજીમાં આગામી 3 દિવસ ગબ્બર દર્શન અને રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...