અંબાજી : ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર 3 દિવસ દર્શન અને રોપ વે સેવા બંધ કરવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. મંદિર ટ્રસ્ટના આ નિર્ણય પાછળ કારણ એ છે કે, ગત 2 દિવસ પહેલા મહેસાણા અને અમદાવાદના શ્રદ્ધાળુઓ દર્શાનાર્થે આવ્યા હતા, ત્યારે ગબ્બર પર અચાનક ભમરા ઉડ્યા હતા અને 25 લોકોને ડંખ માર્યા હતા. આ બનાવ બાદ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા આગામી 15 થી 17 એપ્રિલ સુધી દર્શન અને રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, ત્યારે હવે મધપૂડા ઉડાડવાની કામગીરી હાથ ધરાશે.
મળતી માહિતી મુજબ, મંદિર ટ્રસ્ટે જણાવ્યા મુજબ, અંબાજીમાં થોડા દિવસ પહેલા ગબ્બર દર્શન વખતે શ્રદ્ધાળુઓને ભમરા કરડ્યા હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી 3 દિવસ ગબ્બર દર્શન 51 શક્તિપીઠ પરિક્રમા અને રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગબ્બર માર્ગ ઉપર અને પરિક્રમા માર્ગ ઉપર વિવિધ જગ્યા ઉપર અનેક લાગેલા મધપૂડા ઉડાડવાની કામગીરી ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવશે. અંબાજી ટ્રસ્ટ દ્વારા 15થી 17 એપ્રિલ સુધી ગબ્બર દર્શન અને રોપ વે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, ત્યારે મધપૂડા ઉડાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી 18 એપ્રિલથી ગબ્બર દર્શન રાબેતા મુજબ શરૂ થશે.
યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના પ્રાગટ્યસ્થાન એવા ગબ્બર પર્વત ઉપર માના સ્થાનકે આવતા શ્રધ્ધાળુઓને પર્વતની શીલાઓ ઉપર બેઠેલા ભમરિયા મધની માખીઓ કરડવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આજ રોજ ગબ્બરના પહાડમાં મધમાખીના છત્તામાંથી ભમરા ઉડતાની સાથે જ 25થી વધુ યાત્રીકોને ડંખ માર્યા હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનાને પગલે 108ને કોલ કરાતાં ત્રણ જેટલી એમ્બ્યુલન્સ દોડતી થઇ હતી. 20થી 25 જેટલાં યાત્રીકોને ભમરા ડંખતા અંબાજીની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
મધમાખીના ઉપદ્રવનું મુખ્ય કારણ કાળજાળ ગરમી હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે. મધપૂડા ઉડાડવાની કામગીરીને પગલે અંબાજીમાં આગામી 3 દિવસ ગબ્બર દર્શન અને રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.