Sunday, March 1, 2026

સરકારનો મોટો નિર્ણય : એક કલાકમાં હાજર થાઓ સરકારી બાબુઓ, હવે મીટિંગના બહાના નહિ કાઢી શકે

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને લાભ પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે સરકારી વિભાગોમાં કામ કરતી અરજદારોની કાર્યરત પ્રક્રિયાઓ પર અને મીટિંગની લંબાઈ પર સાવધાની રાખવી પડશે.કેમ કે, સરકારના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને સૂચના આપી છે કે, સરકારી અધિકારીઓની મીટિંગ હવે 1 કલાકથી વધુ નહીં ચાલે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરકારના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે કે હવે સરકારી અધિકારીઓના મીટિંગ 1 કલાકથી વધુ સમય સુધી નહી ચાલે. મીટિંગ શરૂ થવાની હોય એની 5 મિનિટ પહેલાં જ તમામ અધિકારીઓને હાજર થઈ જવું પડશે. બહારગામના અધિકારીઓને વર્ચ્યુઅલી જોડાવાનું કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સમય અને નાણાંની બચત સાથે હવે વહીવટમાં ઝડપ આવશે.

આ અગાઉ, અનેકવાર મીટિંગો ઘણા કલાકો સુધી ચાલતી હતી, જેના પરિણામે અરજદારોના કામમાં વિલંબ થતો હતો. સરકારી કાર્યમાં આ વિલંબને દૂર કરવા માટે મીટિંગના સમયને 1 કલાક સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે.કોઈપણ મીટિંગ શરૂ થતી પહેલા પાંચ મિનિટમાં તમામ અધિકારીઓને હાજર રહેવું પડશે, અને દરરોજ મીટિંગો વચ્ચે સમય બચાવવાનું મહત્વ આપવામાં આવ્યું છે.

આ નિર્ણયથી સમય અને નાણાંની બચત થાય છે, અને એક્શન ટાઈમ વધારે થશે. પાછલા 3 વર્ષમાં મીટિંગ અને નાસ્તા માટે 2.5 કરોડ રૂપિયા ખર્ચ થતા હતા, પરંતુ હવે આ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે.ગુજરાત રાજ્ય સરકારે આ નિર્ણયને અમલમાં લાવતાં હવે સરકારી બાબુઓની મીટિંગનું બહાનું ન ચાલે, અને નાગરિકોનું એક કલાકમાં કામ સરળતાથી પૂર્ણ થશે!

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...