Wednesday, January 14, 2026

સરકારનો મોટો નિર્ણય : એક કલાકમાં હાજર થાઓ સરકારી બાબુઓ, હવે મીટિંગના બહાના નહિ કાઢી શકે

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને લાભ પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે સરકારી વિભાગોમાં કામ કરતી અરજદારોની કાર્યરત પ્રક્રિયાઓ પર અને મીટિંગની લંબાઈ પર સાવધાની રાખવી પડશે.કેમ કે, સરકારના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને સૂચના આપી છે કે, સરકારી અધિકારીઓની મીટિંગ હવે 1 કલાકથી વધુ નહીં ચાલે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરકારના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે કે હવે સરકારી અધિકારીઓના મીટિંગ 1 કલાકથી વધુ સમય સુધી નહી ચાલે. મીટિંગ શરૂ થવાની હોય એની 5 મિનિટ પહેલાં જ તમામ અધિકારીઓને હાજર થઈ જવું પડશે. બહારગામના અધિકારીઓને વર્ચ્યુઅલી જોડાવાનું કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સમય અને નાણાંની બચત સાથે હવે વહીવટમાં ઝડપ આવશે.

આ અગાઉ, અનેકવાર મીટિંગો ઘણા કલાકો સુધી ચાલતી હતી, જેના પરિણામે અરજદારોના કામમાં વિલંબ થતો હતો. સરકારી કાર્યમાં આ વિલંબને દૂર કરવા માટે મીટિંગના સમયને 1 કલાક સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે.કોઈપણ મીટિંગ શરૂ થતી પહેલા પાંચ મિનિટમાં તમામ અધિકારીઓને હાજર રહેવું પડશે, અને દરરોજ મીટિંગો વચ્ચે સમય બચાવવાનું મહત્વ આપવામાં આવ્યું છે.

આ નિર્ણયથી સમય અને નાણાંની બચત થાય છે, અને એક્શન ટાઈમ વધારે થશે. પાછલા 3 વર્ષમાં મીટિંગ અને નાસ્તા માટે 2.5 કરોડ રૂપિયા ખર્ચ થતા હતા, પરંતુ હવે આ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે.ગુજરાત રાજ્ય સરકારે આ નિર્ણયને અમલમાં લાવતાં હવે સરકારી બાબુઓની મીટિંગનું બહાનું ન ચાલે, અને નાગરિકોનું એક કલાકમાં કામ સરળતાથી પૂર્ણ થશે!

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...