ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને લાભ પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે સરકારી વિભાગોમાં કામ કરતી અરજદારોની કાર્યરત પ્રક્રિયાઓ પર અને મીટિંગની લંબાઈ પર સાવધાની રાખવી પડશે.કેમ કે, સરકારના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને સૂચના આપી છે કે, સરકારી અધિકારીઓની મીટિંગ હવે 1 કલાકથી વધુ નહીં ચાલે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરકારના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે કે હવે સરકારી અધિકારીઓના મીટિંગ 1 કલાકથી વધુ સમય સુધી નહી ચાલે. મીટિંગ શરૂ થવાની હોય એની 5 મિનિટ પહેલાં જ તમામ અધિકારીઓને હાજર થઈ જવું પડશે. બહારગામના અધિકારીઓને વર્ચ્યુઅલી જોડાવાનું કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સમય અને નાણાંની બચત સાથે હવે વહીવટમાં ઝડપ આવશે.
આ અગાઉ, અનેકવાર મીટિંગો ઘણા કલાકો સુધી ચાલતી હતી, જેના પરિણામે અરજદારોના કામમાં વિલંબ થતો હતો. સરકારી કાર્યમાં આ વિલંબને દૂર કરવા માટે મીટિંગના સમયને 1 કલાક સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે.કોઈપણ મીટિંગ શરૂ થતી પહેલા પાંચ મિનિટમાં તમામ અધિકારીઓને હાજર રહેવું પડશે, અને દરરોજ મીટિંગો વચ્ચે સમય બચાવવાનું મહત્વ આપવામાં આવ્યું છે.
આ નિર્ણયથી સમય અને નાણાંની બચત થાય છે, અને એક્શન ટાઈમ વધારે થશે. પાછલા 3 વર્ષમાં મીટિંગ અને નાસ્તા માટે 2.5 કરોડ રૂપિયા ખર્ચ થતા હતા, પરંતુ હવે આ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે.ગુજરાત રાજ્ય સરકારે આ નિર્ણયને અમલમાં લાવતાં હવે સરકારી બાબુઓની મીટિંગનું બહાનું ન ચાલે, અને નાગરિકોનું એક કલાકમાં કામ સરળતાથી પૂર્ણ થશે!