31.3 C
Gujarat
Tuesday, June 10, 2025

હવે શાળાઓએ આ સૂચનાનું પાલન કરવું પડશે, શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર જાહેર

Share

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં બાળક એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં પ્રવેશ મેળવે તે સમયે તેને જે તે સ્કૂલમાંથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર LC આપવામાં આવે છે. આ સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (LC)માં બાળકનું નામ, પિતા, માતાનું નામ, અટક, જન્મ તારીખ જેવી મહત્ત્વની માહિતીની નોંધ કરવામાં આવે છે. હાલમાં APAAR IDની કામગીરી ચાલી રહી છે. તે અંતર્ગત આધાર કાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આગામી શૈક્ષણિક સત્ર જૂન 2025થી જે બાળકોને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (LC) આપવામાં આવે તેમજ સ્કૂલમાં પ્રવેશ મેળવતા બાળકોના જનરલ રજિસ્ટરમાં નામ નોંધણી કરવામાં આવે તેમાં બાળકનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ કરવામાં આવે તે અંગે તથા APAAR ID, આધાર કાર્ડ અને LC તમામ ડોક્યુમેન્ટમાં નામની એકરૂપતા જળવાઈ રહે તે મુજબ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.

બાળકના પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌ પ્રથમ નામ, ત્યાર પછી મિડલ નેમ અને છેલ્લે અટક લખવાની સૂચના રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને આપવામાં આવી છે. આ નિર્ણયથી મનપા દ્વારા ઈસ્યુ થતા જન્મ મરણના પ્રમાણપત્રમાં નામ અને સરનેમ પહેલાં લખવા મામલે મૂંઝવણ અને ફરિયાદોનો અંત આવશે. યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે.

પહેલાં આ પ્રકારની કોઈ ગાઈડલાઈન ન હોવાથી લોકો જન્મ મરણના દાખલા અને આધારકાર્ડમાં પોતાની રીતે નામ કે અટક લખાવતા હતા, જેના કારણે સરકારને આઈડી અપડેટ કરવા અને લિંક જનરેટ કરવામાં સમસ્યા થતી હતી. આ સમસ્યાને દૂર કરવા માટે હવેથી જન્મ મરણના દાખલા અને આધારકાર્ડમાં સૌ પ્રથમ વ્યક્તિનું નામ, પછી તેના પિતાનું કે પતિનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles