Wednesday, September 17, 2025

પવિત્ર યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં જલયાત્રા ઉત્સવની ઉજવણી : દર્શનના સમયમાં કરાયો ફેરફાર

Share

Share

દ્વારકા : ગુજરાતના પવિત્ર યાત્રાધામ અને મોક્ષપૂરી દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે 11 જૂન, 2025ના રોજ જેઠ સુદ પૂનમના દિવસે “જ્યેષ્ઠાભિષેક/જલયાત્રા” ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેની જાણકારી દ્વારકાધીશ મંદિરના વહીવટદાર કચેરી દ્વારા સર્વે શ્રદ્ધાળુઓને આપવામાં આવી છે.

જન્મ કુંડળીમાં દોષના નિવારણ માટે કરાવવામાં આવતું સ્નાન મનાય છે. ઠાકોરજીને 125 ઘડાનું સ્નાન કરાવવામાં આવે છે. જેમાં ગુલાબજળ, ચંદન, કેસર અને કેટલીક ઔષધીઓ પણ ઉમેરવામાં આવે છે. સ્નાન કરવા માટે આગલા દિવસે ઠાકોરજીને સફેદ ધોતી ધારણ કરાવવામાં આવે છે. વર્ષમાં એકવાર ઠાકોરજીને વસ્ત્ર સાથે સ્નાન કરાવવામાં આવે છે. લોકવાયકા મુજબ બાળકનો જન્મ આશ્લેષા કે જેષ્ઠા નક્ષત્રમાં જન્મ થાય તો તેની આ પ્રકારે વિધિ કરવી પડે છે. આમ ડાકોરમાં તા. 11મીને બુધવારે જેષ્ઠા નક્ષત્રની વિધિ મુજબ ઠાકોરજીને મંગળા આરતી પછી એક કલાક સુધી સ્નાન કરાવવામાં આવશે.

વહીવટદાર કચેરી દ્વારા જાહેર કરાયેલી વિજ્ઞપ્તિ અનુસાર, જ્યેષ્ઠાભિષેક ઉત્સવના કારણે 11 જૂન, 2025ના રોજ દર્શનનો ક્રમ નીચે મુજબ રહેશે:

સવારે 06:00 વાગ્યે: મંગળા આરતી
સવારે 06:00 થી 08:00 વાગ્યે: મંગળા દર્શન
સવારે 08:00 થી 09:00 વાગ્યે: શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન દર્શન (આ દર્શનનું વિશેષ મહત્વ છે કારણ કે વર્ષમાં માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન દર્શન થાય છે, અને તે પૈકી જ્યેષ્ઠાભિષેક(જલયાત્રા)નું મહત્વ અનેરું છે.)
સવારના અન્ય ક્રમ: નિત્ય ક્રમ મુજબ જ રહેશે.
બપોરે 01:00 થી 05:00 વાગ્યે: અનોસર (દર્શન બંધ રહેશે)
સાંજે 05:00 વાગ્યે: ઉત્થાપન દર્શન
સાંજે 05:00 વાગ્યાથી 09:30 વાગ્યે: જલયાત્રા ઉત્સવ અને અન્ય નિત્ય ક્રમ મુજબ રહેશે.
રાત્રે 09:30 વાગ્યે: અનોસર (દર્શન બંધ રહેશે)

આ શુભ દિવસે જગતમંદિરમાં ભગવાન શ્રીજીને ખુલ્લા પડદે અભિષેક કરાવવામાં આવે છે, જેનો લાભ લેવા માટે દેશભરમાંથી અનેક વૈષ્ણવો દ્વારકા પધારતા હોય છે. મંદિર વહીવટદાર કચેરીએ સર્વે ભક્તોને આ બદલાયેલા સમય અનુસાર દર્શનનો લાભ લેવા વિનંતી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...