Wednesday, January 14, 2026

પવિત્ર યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં જલયાત્રા ઉત્સવની ઉજવણી : દર્શનના સમયમાં કરાયો ફેરફાર

spot_img
Share

દ્વારકા : ગુજરાતના પવિત્ર યાત્રાધામ અને મોક્ષપૂરી દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે 11 જૂન, 2025ના રોજ જેઠ સુદ પૂનમના દિવસે “જ્યેષ્ઠાભિષેક/જલયાત્રા” ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેની જાણકારી દ્વારકાધીશ મંદિરના વહીવટદાર કચેરી દ્વારા સર્વે શ્રદ્ધાળુઓને આપવામાં આવી છે.

જન્મ કુંડળીમાં દોષના નિવારણ માટે કરાવવામાં આવતું સ્નાન મનાય છે. ઠાકોરજીને 125 ઘડાનું સ્નાન કરાવવામાં આવે છે. જેમાં ગુલાબજળ, ચંદન, કેસર અને કેટલીક ઔષધીઓ પણ ઉમેરવામાં આવે છે. સ્નાન કરવા માટે આગલા દિવસે ઠાકોરજીને સફેદ ધોતી ધારણ કરાવવામાં આવે છે. વર્ષમાં એકવાર ઠાકોરજીને વસ્ત્ર સાથે સ્નાન કરાવવામાં આવે છે. લોકવાયકા મુજબ બાળકનો જન્મ આશ્લેષા કે જેષ્ઠા નક્ષત્રમાં જન્મ થાય તો તેની આ પ્રકારે વિધિ કરવી પડે છે. આમ ડાકોરમાં તા. 11મીને બુધવારે જેષ્ઠા નક્ષત્રની વિધિ મુજબ ઠાકોરજીને મંગળા આરતી પછી એક કલાક સુધી સ્નાન કરાવવામાં આવશે.

વહીવટદાર કચેરી દ્વારા જાહેર કરાયેલી વિજ્ઞપ્તિ અનુસાર, જ્યેષ્ઠાભિષેક ઉત્સવના કારણે 11 જૂન, 2025ના રોજ દર્શનનો ક્રમ નીચે મુજબ રહેશે:

સવારે 06:00 વાગ્યે: મંગળા આરતી
સવારે 06:00 થી 08:00 વાગ્યે: મંગળા દર્શન
સવારે 08:00 થી 09:00 વાગ્યે: શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન દર્શન (આ દર્શનનું વિશેષ મહત્વ છે કારણ કે વર્ષમાં માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન દર્શન થાય છે, અને તે પૈકી જ્યેષ્ઠાભિષેક(જલયાત્રા)નું મહત્વ અનેરું છે.)
સવારના અન્ય ક્રમ: નિત્ય ક્રમ મુજબ જ રહેશે.
બપોરે 01:00 થી 05:00 વાગ્યે: અનોસર (દર્શન બંધ રહેશે)
સાંજે 05:00 વાગ્યે: ઉત્થાપન દર્શન
સાંજે 05:00 વાગ્યાથી 09:30 વાગ્યે: જલયાત્રા ઉત્સવ અને અન્ય નિત્ય ક્રમ મુજબ રહેશે.
રાત્રે 09:30 વાગ્યે: અનોસર (દર્શન બંધ રહેશે)

આ શુભ દિવસે જગતમંદિરમાં ભગવાન શ્રીજીને ખુલ્લા પડદે અભિષેક કરાવવામાં આવે છે, જેનો લાભ લેવા માટે દેશભરમાંથી અનેક વૈષ્ણવો દ્વારકા પધારતા હોય છે. મંદિર વહીવટદાર કચેરીએ સર્વે ભક્તોને આ બદલાયેલા સમય અનુસાર દર્શનનો લાભ લેવા વિનંતી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...