Sunday, March 1, 2026

પવિત્ર યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં જલયાત્રા ઉત્સવની ઉજવણી : દર્શનના સમયમાં કરાયો ફેરફાર

spot_img
Share

દ્વારકા : ગુજરાતના પવિત્ર યાત્રાધામ અને મોક્ષપૂરી દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે 11 જૂન, 2025ના રોજ જેઠ સુદ પૂનમના દિવસે “જ્યેષ્ઠાભિષેક/જલયાત્રા” ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેની જાણકારી દ્વારકાધીશ મંદિરના વહીવટદાર કચેરી દ્વારા સર્વે શ્રદ્ધાળુઓને આપવામાં આવી છે.

જન્મ કુંડળીમાં દોષના નિવારણ માટે કરાવવામાં આવતું સ્નાન મનાય છે. ઠાકોરજીને 125 ઘડાનું સ્નાન કરાવવામાં આવે છે. જેમાં ગુલાબજળ, ચંદન, કેસર અને કેટલીક ઔષધીઓ પણ ઉમેરવામાં આવે છે. સ્નાન કરવા માટે આગલા દિવસે ઠાકોરજીને સફેદ ધોતી ધારણ કરાવવામાં આવે છે. વર્ષમાં એકવાર ઠાકોરજીને વસ્ત્ર સાથે સ્નાન કરાવવામાં આવે છે. લોકવાયકા મુજબ બાળકનો જન્મ આશ્લેષા કે જેષ્ઠા નક્ષત્રમાં જન્મ થાય તો તેની આ પ્રકારે વિધિ કરવી પડે છે. આમ ડાકોરમાં તા. 11મીને બુધવારે જેષ્ઠા નક્ષત્રની વિધિ મુજબ ઠાકોરજીને મંગળા આરતી પછી એક કલાક સુધી સ્નાન કરાવવામાં આવશે.

વહીવટદાર કચેરી દ્વારા જાહેર કરાયેલી વિજ્ઞપ્તિ અનુસાર, જ્યેષ્ઠાભિષેક ઉત્સવના કારણે 11 જૂન, 2025ના રોજ દર્શનનો ક્રમ નીચે મુજબ રહેશે:

સવારે 06:00 વાગ્યે: મંગળા આરતી
સવારે 06:00 થી 08:00 વાગ્યે: મંગળા દર્શન
સવારે 08:00 થી 09:00 વાગ્યે: શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન દર્શન (આ દર્શનનું વિશેષ મહત્વ છે કારણ કે વર્ષમાં માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન દર્શન થાય છે, અને તે પૈકી જ્યેષ્ઠાભિષેક(જલયાત્રા)નું મહત્વ અનેરું છે.)
સવારના અન્ય ક્રમ: નિત્ય ક્રમ મુજબ જ રહેશે.
બપોરે 01:00 થી 05:00 વાગ્યે: અનોસર (દર્શન બંધ રહેશે)
સાંજે 05:00 વાગ્યે: ઉત્થાપન દર્શન
સાંજે 05:00 વાગ્યાથી 09:30 વાગ્યે: જલયાત્રા ઉત્સવ અને અન્ય નિત્ય ક્રમ મુજબ રહેશે.
રાત્રે 09:30 વાગ્યે: અનોસર (દર્શન બંધ રહેશે)

આ શુભ દિવસે જગતમંદિરમાં ભગવાન શ્રીજીને ખુલ્લા પડદે અભિષેક કરાવવામાં આવે છે, જેનો લાભ લેવા માટે દેશભરમાંથી અનેક વૈષ્ણવો દ્વારકા પધારતા હોય છે. મંદિર વહીવટદાર કચેરીએ સર્વે ભક્તોને આ બદલાયેલા સમય અનુસાર દર્શનનો લાભ લેવા વિનંતી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...