Sunday, March 1, 2026

આવતીકાલથી સાસણ સફારી ખાતે શરુ થશે સિંહોનું વેકેશન, ચાર મહિના માટે પાર્ક બંધ

spot_img
Share

જૂનાગઢ : જૂનાગઢમાં આવેલા સાસણ સફારી પાર્કમાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે અને નેચર સફારી પાર્કમાં અનેક પ્રાણીઓને જોવે છે. ખાસ કરીને અહીં સિંહો જોવા માટે લોકો મુલાકાત કરે છે. ત્યારે હવે સિહોના મીટીંગ પિરિયડ ને લઈને વન વિભાગ દ્વારા વેકેશન પાડવામાં આવ્યું છે. વેકેશન એટેલે કે આવતી કાલથી તમે સાસણ સફારી પાર્કની મુલાકાત નહીં લઈ શકો. વન વિભાગ દ્વારા 16 જૂનથી 15 ઓક્ટોબર એટલે કે ચાર માસ સુધી સાસણ સફારી પાર્ક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દેશ-વિદેશમાંથી સાસણ ખાતે આવતા પ્રવાસીઓએ હવે ફરી સાસણ સફારી પાર્કમાં મુલાકાત લેવા માટે 4 મહિના રાહ જોવી પડશે. કેમ કે હવે સિંહોનું વેકેશન ચાલુ થઈ ગયું છે, જેના કારણે વન વિભાગે તારીખ 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન જાહેર ક્યું છે અને સાસણ સફારી પાર્કને બંધ કરવામાં આવ્યું છે.

સાસણ સફારી પાર્કમાં 15 જૂનના જે પ્રવાસીઓ આવ્યા હતા તેમણે 25થી વધુ સિંહોને નિહાળ્યા હતા. પાર્કનો આજે છેલ્લો દિવસ હતો. હવે પાર્કને ચાર મહિના માટે બંધ રાખવામાં આવશે. ચોમાસામાં વરસાદની સિઝનને લઈને જંગલ વિસ્તારના રસ્તાઓ પણ વારંવાર ધોવાતા હોવાથી પણ પાર્કમાં જવું મુશ્કેલ બનતું હોય છે.

શાળા, હાઇસ્કુલ, કોલેજના વેકેશન ખુલી જતા વિદ્યા સંકુલો વિદ્યાર્થીઓની ચીચિયારી, મોજથી ઉભરાઈ રહી છે. તો બીજી બાજુ આગામી 16 જુલાઈ થી સાસણની સફારી પાર્કમાં સિંહોનું વેકેશન શરૂ થશે એટલે કે સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે લગભગ ચાર મહિના સુધી પ્રવેશ બંધ રહેશે અને સિંહ દર્શન થઈ શકશે નહીં.

આવતી કાલથી એટલે કે 16 જૂનથી બંધ થઈ રહેલા સાસણ સફારી પાર્ક ચાર મહિનાના લાબા વેકેશન બાદ તારીખ 16 ઓક્ટોબરથી ફરી પ્રવાસીઓ માટે સાસણ સફારી પાર્ક તેમજ ગિરનાર નેચર સફારી પાર્ક ખુલ્લો મુકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...