Sunday, November 9, 2025

પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએઃ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી

spot_img
Share

સુરત : ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવીએ શનિવારે સાંજે સુરત શહેરમાં અલથાણ પોલીસ સ્ટેશનના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તેમના સંબોધન દરમિયાન પોલીસની કામગીરી અને ગુનેગારો પ્રત્યે કડક વલણ અપનાવવા પર ભાર મૂકતા જણાવ્યું કે, ગુનેગારોને પોલીસનો ડર જરૂરથી હોવો જોઈએ. પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સુરત શહેરમાં અલથાણ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરી અને ગુનેગારો પ્રત્યે કડક વલણ અપનાવવા પર ભાર મૂકતા જણાવ્યું કે, ગુનેગારોને પોલીસનો ડર જરૂરથી હોવો જોઈએ. પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ.આ ઉપરાંત પોલીસકર્મીઓને આપેલી તમામ સત્તાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરતા કહ્યું કે જો વધુ ઉપયોગ કરો તો ડબલ કરજો, હું તમારી સાથે છું. પોલીસને અપાયેલો દંડાનો ઉપયોગ થવો જ જોઈએ, પરંતુ તે સામાન્ય નાગરિકને હેરાન કરનારા લોકો માટે જ રાખવામાં આવ્યો છે, અને તેનો સમજદારીપૂર્વક ઉપયોગ થવો જોઈએ. સામાન્ય માણસમાં પોલીસનો ડર ન હોવો જોઈએ.

હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશને બિરદાવતા જણાવ્યું હતું કે, “છેલ્લા 3 વર્ષથી ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે જંગ છેડ્યો છે. 70થી વધુ પાકિસ્તાની, ઈરાની અને ડ્રગ્સ લાવતા દુષણખોરોને પકડવાનું કામ કરવામાં આવ્યું છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...