Wednesday, January 14, 2026

હાઉસીંગ રિડેલપમેન્ટ કેમ જરૂરી છે ? આ અંગે હાઉસીંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશને શું કહ્યું, જાણો

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઉસીંગ બોર્ડના એપાર્ટમેન્ટને રિડેલપમેન્ટને લઇને છેલ્લાં કેટલાંક વર્ષોથી કોઇ પરિણામ આવ્યું નથી.જેને લઈને અમદાવાદના સોલા-નારણપુરાથી નવા વાડજ સુધીમાં હાઉસિંગ બોર્ડની 125થી વધુ સોસાયટીના રહીશો દ્વારા હાઉસીંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશનની રચના કરવામાં આવી હતી. આ ફેડરેશને જણાવ્યું હતું કે 25 થી 40 વર્ષ જુના જર્જરિત બાંધકામના ફ્લેટોમાં લોકો જીવન જોખમે જીવે છે ત્યારે આ ફેડરેશન દ્વારા હાઉસીંગ રિડેવલોપમેન્ટ મુદ્દે સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને બોર્ડના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ નક્કર નિર્ણય હજુ સુધી લેવાયો નથી. જો કે નજીકના સમયમાં રીડેવલપમેન્ટ અંગે કોઈ સારા સમાચાર મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

હાઉસીંગ રિડેવલોપમેન્ટ લઈને રહીશોને જણાવાયું છે કે

જૂના બાંધકામના ગેરફાયદાઓ.
૧. વર્ષો પેહલા વપરાયેલા મટીરીયલ (ઇંટ, સિમેન્ટ, લોખંડ)નું આયુષ્ય પૂરું થવા આવ્યું હોય છે
૨. મકાનોમાં કાયમી મેંઇટેન્સ (સમારકામ)નાં ખર્ચ
૩. એપાર્ટમેન્ટની આસપાસ ગંદકી
૪. સોસાયટીના આંતરિક રસ્તાઓની ખરાબ સ્થિતિ
૫. ઇમરજન્સીનાં પ્રસંગે ફાયર કે એમ્બ્યુલન્સને સોસાયટીમાં આવવામાં પડતી તકલીફ
૬. બાળકો માટે રમત ગમત માટે સગવડનો અભાવ
૭. સિનિયર સિટઝન માટે બેસવાની કોઈ વ્યવસ્થાનો અભાવ
૮. જૂની યોજનાઓમાં લિફ્ટનાં હોવાથી બીમાર વ્યક્તિ, સિનિયર સિટીઝન, અશક્ત વગેરેને પડતી તકલીફ
૯. સામાજિક/ ધાર્મિક પ્રસંગ ઉજવવા માટે તકલીફ
૧૦. પાર્કિંગની મુખ્ય સમસ્યા
૧૧. ઓવરહેડ પાણીની ટાંકીઓ જર્જરિત
૧૨. જૂની સોસાયટીમાં કંપાઉન્ડ વોલનાં હોવાથી ચોરી અને અન્ય સમસ્યાઓ

રિડેવલોપમેન્ટથી થતા ફાયદા.
૧. નવું અને આધુનિક સગવડ સાથેનું ભૂકંપપ્રૂફ બાંધકામ
૨. લિફ્ટની સગવડ
૩. સામાજિક /ધાર્મિક પ્રસંગ માટે કૉમ્યુનિટી હોલની વ્યવસ્થા
૪. પાર્કિંગની વ્યવસ્થા
૫. ચિલ્ડ્રનપ્લે એરિયાની વ્યવસ્થા
૬. સિનિયર સિટીઝન માટેની વ્યવસ્થા
૭. ૨૪ કલાક સી.સી. ટી.વી. કેમેરાની વ્યવસ્થા
૮. વરસાદી પાણીનાં સંગ્રહની વ્યવસ્થા
૯. સોલાર સિસ્ટમથી કોમન વીજળી વપરાશમાં બચત
૧૦. સિક્યુરિટી કેબિનનાં લીધે સલામતી
૧૧.ગાર્ડનની વ્યવસ્થા
૧૨.જૂના બાંધકામનાં કાર્પેટ થી ૪૦% નવું બાંધકામ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...