Friday, November 28, 2025

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

spot_img
Share

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી અધિકારીઓ સામે લાલ આંખ કરી છે અને મહેસૂલ વિભાગના અધિકારોઓને ચૂંટાયેલા સભ્યોથી લઈને સામાન્ય માણસોના ફોન ન ઉપાડવાની બાબતે આકરું વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કરીને કડક ગાઈડલાઈન જાહેર કરી હતી.

ખાસ કરીને મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, જિલ્લા પંચાયત પ્રમુખો અને સામાન્ય જનતાના ફોન જ ન ઉપાડતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સતત વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ બાબુઓ પર લાલ આંખ કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ અંગે એક પરિપત્ર બહાર પાડીને મહેસૂલ વિભાગના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ માટે કડક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.

રાજ્ય સરકારે જાહેર કરેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે મહેસૂલ વિભાગના વર્ગ 1 અને 2 કક્ષાના અધિકારીઓને તેમણે ફાળવવામાં આવેલા સરકારી ફોન નંબર અથવા જો સરકારી ફોન નંબર ન હોય તો અંગત નંબર પર આવતા ફોન કોલ્સનો જવાબ આપવાનો રહેશે. વળી સરકારે એ પણ આદેશ કર્યો છે કે જો આ અધિકારીઓ ફરજ પર ગેરહાજર હોય કે મિટિંગમાં હોય તેવી સ્થિતિમાં બાદમાં સામેથી કોલ કરીને પદાધિકારી, ઉચ્ચ અધિકારી કે અન્ય અધિકારીઓને યોગ્ય પ્રત્યુતર આપવાનો રહેશે.

ઉલ્લેખનીય છે મહેસૂલ વિભાગના અધિકારીઓ સામાન્ય માણસની જેમ જ અધિકારીઓ, પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોના ફોનને કોઈને કોઈ કારણથી અવગણી રહ્યા હોવાની ફરિયાદો મળી હતી. મીટિંગમાં હોવાથી વાત નહિ થઈ શકે તેવા બહાના હવે નહિ ચાલે.

હવે રાજ્ય સરકારે આ બાબતે હવે સામેથી કોલ બેક કરીને પ્રત્યુતર આપવા જણાવ્યું છે. રાજ્ય સરકારના અધિકારીઓ છેલ્લા ઘણા સમયથી ફોન અવગણવાની અનેક ફરિયાદો મળી હતી, જેના કારણે સરકારે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...