Saturday, July 25, 2026

અમદાવાદના આ વિસ્તારોમાં AMTS નવા બસ ડેપો બનશે, બહારગામથી આવતાં મુસાફરોને AMTS-BRTS મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રોજના એક લાખથી વધુ મુસાફરો AMTS અને BRTS બસમાં મુસાફરી કરતા હોય છે. જ્યારે બહારગામ જવા માટે લોકો એસટી બસનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે હવે શહેરના છેવાડાના વિસ્તારોમાં એક જ જગ્યાએથી લોકોને એસટી બસ સ્ટેન્ડ અને AMTS તેમજ BRTS બસ સ્ટેન્ડ મળે તે પ્રકારનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. શહેરના ઝુંડાલ, સુભાષબ્રિજ RTO અને નિકોલ કઠવાડા ખાતે બસ ડેપો બનાવવામાં આવશે. AMTS દ્વારા આ પ્રકારના બસ ડેપો બનાવવા માટેની ડિઝાઇન તૈયાર કરવા માટે કંપનીને કામગીરી સોંપવામાં આવનાર હતી, જોકે તેની ફીમાં વધારો હોવાના કારણે હાલ પૂરતી આ દરખાસ્તને બાકી રાખવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMTS કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં લોકો AMTS અને BRTS બસમાં મુસાફરી કરતા હોય છે એક જ સ્થળેથી લોકોને બસની સુવિધા મળી રહે તેના માટે બસ ડેપો બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બહારગામથી અવરજવર કરતા મુસાફરોને શહેરના કોઈપણ સ્થળે જવું હોય તો AMTS તેમજ BRTS બસ મળી રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના શહેરના સરદાર પટેલ રિંગરોડ પર ઝુંડાલ સર્કલ નજીકનો 10000 ચો. મી, સુભાષ બ્રિજ આરટીઓ સર્કલ પાસે 10,000 ચો. મીટર અને નિકોલ કઠવાડા ખાતે 16342 ચો. મી જેટલા પ્લોટમાં બસ ડેપો બનાવવામાં આવશે. જેના માટેની ડિઝાઇન બનાવવાની દરખાસ્ત મુકવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાંથી રોજના લાખો મુસાફરો બહારગામ અવર-જવર કરતા હોય છે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સરળતાથી એક જ જગ્યાએથી બસ મળી રહેતો લોકોને ક્યાંય જવાની જરૂર પડતી નથી. તેના માટે થઈને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા વિશાળ બસ ડેપો બનાવવાની વિચારણા કરવામાં આવી છે. જેના માટે ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તરફ જવા માટે સરદાર પટેલ રિંગ રોડ પર ઝુંડાલ સર્કલ નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર તરફ જવા માટે આરટીઓ પાસે પણ કોર્પોરેશનનો વિશાળ પ્લોટ ડેપો માટે નક્કી કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત બંને તરફ અવર-જવર કરવા માટે નિકોલ કઠવાડા પાસે 16000 ચો.મી પ્લોટમાં AMTS બસ ડેપો બનાવવામાં આવશે.

સોમવારે મળેલી કમિટી દરમિયાન એક જ સ્થળ ઉપર મુસાફરોને AMTS, BRTS અને એસટી બસની સુવિધા મળી રહે તેના માટે બસ ડેપોની ડિઝાઇન બનાવવા માટે HCP ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને કુલ પ્રોજેક્ટના 4% જેટલી રકમ આપવા માટેની દરખાસ્ત અને બાકી રાખવામાં આવી છે. આ ડિઝાઇન બનાવવા માટેની જે ફી છે તે વધારે હોવાનું લાગી રહ્યું છે જેથી આ બાબતે હાલમાં ફી અંગે કન્સલ્ટન્ટ સાથે ફરી એકવાર ચર્ચા કરી અને બાદમાં તેનો નિર્ણય લેવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...