Tuesday, March 17, 2026

અમદાવાદના આ વિસ્તારોમાં AMTS નવા બસ ડેપો બનશે, બહારગામથી આવતાં મુસાફરોને AMTS-BRTS મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રોજના એક લાખથી વધુ મુસાફરો AMTS અને BRTS બસમાં મુસાફરી કરતા હોય છે. જ્યારે બહારગામ જવા માટે લોકો એસટી બસનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે હવે શહેરના છેવાડાના વિસ્તારોમાં એક જ જગ્યાએથી લોકોને એસટી બસ સ્ટેન્ડ અને AMTS તેમજ BRTS બસ સ્ટેન્ડ મળે તે પ્રકારનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. શહેરના ઝુંડાલ, સુભાષબ્રિજ RTO અને નિકોલ કઠવાડા ખાતે બસ ડેપો બનાવવામાં આવશે. AMTS દ્વારા આ પ્રકારના બસ ડેપો બનાવવા માટેની ડિઝાઇન તૈયાર કરવા માટે કંપનીને કામગીરી સોંપવામાં આવનાર હતી, જોકે તેની ફીમાં વધારો હોવાના કારણે હાલ પૂરતી આ દરખાસ્તને બાકી રાખવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMTS કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં લોકો AMTS અને BRTS બસમાં મુસાફરી કરતા હોય છે એક જ સ્થળેથી લોકોને બસની સુવિધા મળી રહે તેના માટે બસ ડેપો બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બહારગામથી અવરજવર કરતા મુસાફરોને શહેરના કોઈપણ સ્થળે જવું હોય તો AMTS તેમજ BRTS બસ મળી રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના શહેરના સરદાર પટેલ રિંગરોડ પર ઝુંડાલ સર્કલ નજીકનો 10000 ચો. મી, સુભાષ બ્રિજ આરટીઓ સર્કલ પાસે 10,000 ચો. મીટર અને નિકોલ કઠવાડા ખાતે 16342 ચો. મી જેટલા પ્લોટમાં બસ ડેપો બનાવવામાં આવશે. જેના માટેની ડિઝાઇન બનાવવાની દરખાસ્ત મુકવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાંથી રોજના લાખો મુસાફરો બહારગામ અવર-જવર કરતા હોય છે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સરળતાથી એક જ જગ્યાએથી બસ મળી રહેતો લોકોને ક્યાંય જવાની જરૂર પડતી નથી. તેના માટે થઈને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા વિશાળ બસ ડેપો બનાવવાની વિચારણા કરવામાં આવી છે. જેના માટે ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તરફ જવા માટે સરદાર પટેલ રિંગ રોડ પર ઝુંડાલ સર્કલ નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર તરફ જવા માટે આરટીઓ પાસે પણ કોર્પોરેશનનો વિશાળ પ્લોટ ડેપો માટે નક્કી કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત બંને તરફ અવર-જવર કરવા માટે નિકોલ કઠવાડા પાસે 16000 ચો.મી પ્લોટમાં AMTS બસ ડેપો બનાવવામાં આવશે.

સોમવારે મળેલી કમિટી દરમિયાન એક જ સ્થળ ઉપર મુસાફરોને AMTS, BRTS અને એસટી બસની સુવિધા મળી રહે તેના માટે બસ ડેપોની ડિઝાઇન બનાવવા માટે HCP ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને કુલ પ્રોજેક્ટના 4% જેટલી રકમ આપવા માટેની દરખાસ્ત અને બાકી રાખવામાં આવી છે. આ ડિઝાઇન બનાવવા માટેની જે ફી છે તે વધારે હોવાનું લાગી રહ્યું છે જેથી આ બાબતે હાલમાં ફી અંગે કન્સલ્ટન્ટ સાથે ફરી એકવાર ચર્ચા કરી અને બાદમાં તેનો નિર્ણય લેવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...