Tuesday, October 14, 2025

અમદાવાદના આ વિસ્તારોમાં AMTS નવા બસ ડેપો બનશે, બહારગામથી આવતાં મુસાફરોને AMTS-BRTS મળશે

Share

અમદાવાદ : અમદાવાદમાં રોજના એક લાખથી વધુ મુસાફરો AMTS અને BRTS બસમાં મુસાફરી કરતા હોય છે. જ્યારે બહારગામ જવા માટે લોકો એસટી બસનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે હવે શહેરના છેવાડાના વિસ્તારોમાં એક જ જગ્યાએથી લોકોને એસટી બસ સ્ટેન્ડ અને AMTS તેમજ BRTS બસ સ્ટેન્ડ મળે તે પ્રકારનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. શહેરના ઝુંડાલ, સુભાષબ્રિજ RTO અને નિકોલ કઠવાડા ખાતે બસ ડેપો બનાવવામાં આવશે. AMTS દ્વારા આ પ્રકારના બસ ડેપો બનાવવા માટેની ડિઝાઇન તૈયાર કરવા માટે કંપનીને કામગીરી સોંપવામાં આવનાર હતી, જોકે તેની ફીમાં વધારો હોવાના કારણે હાલ પૂરતી આ દરખાસ્તને બાકી રાખવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMTS કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં લોકો AMTS અને BRTS બસમાં મુસાફરી કરતા હોય છે એક જ સ્થળેથી લોકોને બસની સુવિધા મળી રહે તેના માટે બસ ડેપો બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બહારગામથી અવરજવર કરતા મુસાફરોને શહેરના કોઈપણ સ્થળે જવું હોય તો AMTS તેમજ BRTS બસ મળી રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના શહેરના સરદાર પટેલ રિંગરોડ પર ઝુંડાલ સર્કલ નજીકનો 10000 ચો. મી, સુભાષ બ્રિજ આરટીઓ સર્કલ પાસે 10,000 ચો. મીટર અને નિકોલ કઠવાડા ખાતે 16342 ચો. મી જેટલા પ્લોટમાં બસ ડેપો બનાવવામાં આવશે. જેના માટેની ડિઝાઇન બનાવવાની દરખાસ્ત મુકવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાંથી રોજના લાખો મુસાફરો બહારગામ અવર-જવર કરતા હોય છે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સરળતાથી એક જ જગ્યાએથી બસ મળી રહેતો લોકોને ક્યાંય જવાની જરૂર પડતી નથી. તેના માટે થઈને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા વિશાળ બસ ડેપો બનાવવાની વિચારણા કરવામાં આવી છે. જેના માટે ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તરફ જવા માટે સરદાર પટેલ રિંગ રોડ પર ઝુંડાલ સર્કલ નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર તરફ જવા માટે આરટીઓ પાસે પણ કોર્પોરેશનનો વિશાળ પ્લોટ ડેપો માટે નક્કી કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત બંને તરફ અવર-જવર કરવા માટે નિકોલ કઠવાડા પાસે 16000 ચો.મી પ્લોટમાં AMTS બસ ડેપો બનાવવામાં આવશે.

સોમવારે મળેલી કમિટી દરમિયાન એક જ સ્થળ ઉપર મુસાફરોને AMTS, BRTS અને એસટી બસની સુવિધા મળી રહે તેના માટે બસ ડેપોની ડિઝાઇન બનાવવા માટે HCP ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને કુલ પ્રોજેક્ટના 4% જેટલી રકમ આપવા માટેની દરખાસ્ત અને બાકી રાખવામાં આવી છે. આ ડિઝાઇન બનાવવા માટેની જે ફી છે તે વધારે હોવાનું લાગી રહ્યું છે જેથી આ બાબતે હાલમાં ફી અંગે કન્સલ્ટન્ટ સાથે ફરી એકવાર ચર્ચા કરી અને બાદમાં તેનો નિર્ણય લેવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...