Tuesday, January 20, 2026

અમદાવાદના આ વિસ્તારોમાં AMTS નવા બસ ડેપો બનશે, બહારગામથી આવતાં મુસાફરોને AMTS-BRTS મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રોજના એક લાખથી વધુ મુસાફરો AMTS અને BRTS બસમાં મુસાફરી કરતા હોય છે. જ્યારે બહારગામ જવા માટે લોકો એસટી બસનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે હવે શહેરના છેવાડાના વિસ્તારોમાં એક જ જગ્યાએથી લોકોને એસટી બસ સ્ટેન્ડ અને AMTS તેમજ BRTS બસ સ્ટેન્ડ મળે તે પ્રકારનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. શહેરના ઝુંડાલ, સુભાષબ્રિજ RTO અને નિકોલ કઠવાડા ખાતે બસ ડેપો બનાવવામાં આવશે. AMTS દ્વારા આ પ્રકારના બસ ડેપો બનાવવા માટેની ડિઝાઇન તૈયાર કરવા માટે કંપનીને કામગીરી સોંપવામાં આવનાર હતી, જોકે તેની ફીમાં વધારો હોવાના કારણે હાલ પૂરતી આ દરખાસ્તને બાકી રાખવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMTS કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં લોકો AMTS અને BRTS બસમાં મુસાફરી કરતા હોય છે એક જ સ્થળેથી લોકોને બસની સુવિધા મળી રહે તેના માટે બસ ડેપો બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બહારગામથી અવરજવર કરતા મુસાફરોને શહેરના કોઈપણ સ્થળે જવું હોય તો AMTS તેમજ BRTS બસ મળી રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના શહેરના સરદાર પટેલ રિંગરોડ પર ઝુંડાલ સર્કલ નજીકનો 10000 ચો. મી, સુભાષ બ્રિજ આરટીઓ સર્કલ પાસે 10,000 ચો. મીટર અને નિકોલ કઠવાડા ખાતે 16342 ચો. મી જેટલા પ્લોટમાં બસ ડેપો બનાવવામાં આવશે. જેના માટેની ડિઝાઇન બનાવવાની દરખાસ્ત મુકવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાંથી રોજના લાખો મુસાફરો બહારગામ અવર-જવર કરતા હોય છે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સરળતાથી એક જ જગ્યાએથી બસ મળી રહેતો લોકોને ક્યાંય જવાની જરૂર પડતી નથી. તેના માટે થઈને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા વિશાળ બસ ડેપો બનાવવાની વિચારણા કરવામાં આવી છે. જેના માટે ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તરફ જવા માટે સરદાર પટેલ રિંગ રોડ પર ઝુંડાલ સર્કલ નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર તરફ જવા માટે આરટીઓ પાસે પણ કોર્પોરેશનનો વિશાળ પ્લોટ ડેપો માટે નક્કી કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત બંને તરફ અવર-જવર કરવા માટે નિકોલ કઠવાડા પાસે 16000 ચો.મી પ્લોટમાં AMTS બસ ડેપો બનાવવામાં આવશે.

સોમવારે મળેલી કમિટી દરમિયાન એક જ સ્થળ ઉપર મુસાફરોને AMTS, BRTS અને એસટી બસની સુવિધા મળી રહે તેના માટે બસ ડેપોની ડિઝાઇન બનાવવા માટે HCP ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને કુલ પ્રોજેક્ટના 4% જેટલી રકમ આપવા માટેની દરખાસ્ત અને બાકી રાખવામાં આવી છે. આ ડિઝાઇન બનાવવા માટેની જે ફી છે તે વધારે હોવાનું લાગી રહ્યું છે જેથી આ બાબતે હાલમાં ફી અંગે કન્સલ્ટન્ટ સાથે ફરી એકવાર ચર્ચા કરી અને બાદમાં તેનો નિર્ણય લેવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...