Wednesday, April 15, 2026

ગિરનારની લીલી પરિક્રમાની તૈયારી પૂરજોશમાં, પદયાત્રીઓને અપાઈ મહત્વની સૂચના, આવું ન કરતા !

spot_img
Share

જુનાગઢ : જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની વ્યવસ્થાને ધ્યાન રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ-સંતો ઉતારા મંડળ અને સામાજિક સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિક્રમા ના આયોજનને લઈને સાધુ-સંતો તેમજ અગ્રણીઓ દ્વારા જુદા જુદા સૂચનો કરવામાં આવ્યા છે.

જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે આજે વહીવટી તંત્રના તમામ વિભાગો, ભવનાથ ક્ષેત્રના સાધુ-સંતો અને રાજકીય તેમજ સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 2 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ચાર દિવસીય પરિક્રમામાં શ્રદ્ધાળુઓને પૂરતી સુખ-સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

આ બેઠકમાં પરિક્રમાના આયોજન અંગે જુનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા તમામ ઉપસ્થિતો પાસેથી વિવિધ સૂચનો લેવામાં આવ્યા હતા. અને વહીવટી તંત્ર દ્વારા દરેક વિભાગને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. વન વિભાગને તાત્કાલિક અસરથી ગિરનાર રૂટ પરના રસ્તાઓનું સમારકામ કરવા જણાવવામાં આવ્યું હતું, જ્યારે જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા પરિક્રમાર્થીઓની સુરક્ષા માટે યોગ્ય બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવા ચર્ચા કરવામાં આવી હતી.

પરિક્રમામાં આવતા લાખો લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગને પૂરતા પ્રમાણમાં ડોકટરો, દવાઓનો જથ્થો અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. પાણી પુરવઠા વિભાગને પણ પરિક્રમા રૂટ પર શ્રદ્ધાળુઓને પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પૂરતા પાણીના પોઇન્ટ્સ ઊભા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આકસ્મિક ઘટનાઓનો સામનો કરવા માટે ફાયર વિભાગને પણ આયોજનબદ્ધ કામગીરી કરવા તાકીદ કરવામાં આવી છે

શહેરના રસ્તાઓનું સમારકામ વહેલી તકે થાય તે માટે જૂનાગઢ મહાનગરપાલિકાને પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, પરિક્રમાર્થીઓની સુવિધા માટે જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા 30 જેટલી વધારાની મીની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.ભવનાથના સંત ઇન્દ્રભારતી બાપુએ આ બેઠક બાદ ખાસ કરીને પરિક્રમાર્થીઓને અપીલ કરી હતી કે ચાર દિવસની પરિક્રમા આગામી 2 નવેમ્બરથી જ શરૂ થવાની છે, તેથી ભાવિકો 2 નવેમ્બરે જ પરિક્રમા શરૂ કરે અને અગાઉથી આવીને ભીડ ન કરે.

વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે ગિરનાર ક્ષેત્રમાં ઇકોઝોન લાગુ હોવાથી પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાવરણની જાળવણી માટે પરિક્રમામાં પ્લાસ્ટિક સાથે ન લાવવા વિનંતી કરાઈ છે. સાથે જ, ગીરનાર જંગલી વિસ્તાર હોવાથી કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે ભાવિકોને જાહેર કરાયેલા રૂટ પર જ પરિક્રમા કરવા ખાસ વિનંતી કરવામાં આવી છે. જૂનાગઢ વહીવટી તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ભાવિકોને પૂર્તિ સુખ-સુવિધા અને સલામતી પૂરી પાડવાનો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...