Wednesday, January 14, 2026

ગિરનારની લીલી પરિક્રમાની તૈયારી પૂરજોશમાં, પદયાત્રીઓને અપાઈ મહત્વની સૂચના, આવું ન કરતા !

spot_img
Share

જુનાગઢ : જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની વ્યવસ્થાને ધ્યાન રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ-સંતો ઉતારા મંડળ અને સામાજિક સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિક્રમા ના આયોજનને લઈને સાધુ-સંતો તેમજ અગ્રણીઓ દ્વારા જુદા જુદા સૂચનો કરવામાં આવ્યા છે.

જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે આજે વહીવટી તંત્રના તમામ વિભાગો, ભવનાથ ક્ષેત્રના સાધુ-સંતો અને રાજકીય તેમજ સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 2 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ચાર દિવસીય પરિક્રમામાં શ્રદ્ધાળુઓને પૂરતી સુખ-સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

આ બેઠકમાં પરિક્રમાના આયોજન અંગે જુનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા તમામ ઉપસ્થિતો પાસેથી વિવિધ સૂચનો લેવામાં આવ્યા હતા. અને વહીવટી તંત્ર દ્વારા દરેક વિભાગને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. વન વિભાગને તાત્કાલિક અસરથી ગિરનાર રૂટ પરના રસ્તાઓનું સમારકામ કરવા જણાવવામાં આવ્યું હતું, જ્યારે જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા પરિક્રમાર્થીઓની સુરક્ષા માટે યોગ્ય બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવા ચર્ચા કરવામાં આવી હતી.

પરિક્રમામાં આવતા લાખો લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગને પૂરતા પ્રમાણમાં ડોકટરો, દવાઓનો જથ્થો અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. પાણી પુરવઠા વિભાગને પણ પરિક્રમા રૂટ પર શ્રદ્ધાળુઓને પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પૂરતા પાણીના પોઇન્ટ્સ ઊભા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આકસ્મિક ઘટનાઓનો સામનો કરવા માટે ફાયર વિભાગને પણ આયોજનબદ્ધ કામગીરી કરવા તાકીદ કરવામાં આવી છે

શહેરના રસ્તાઓનું સમારકામ વહેલી તકે થાય તે માટે જૂનાગઢ મહાનગરપાલિકાને પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, પરિક્રમાર્થીઓની સુવિધા માટે જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા 30 જેટલી વધારાની મીની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.ભવનાથના સંત ઇન્દ્રભારતી બાપુએ આ બેઠક બાદ ખાસ કરીને પરિક્રમાર્થીઓને અપીલ કરી હતી કે ચાર દિવસની પરિક્રમા આગામી 2 નવેમ્બરથી જ શરૂ થવાની છે, તેથી ભાવિકો 2 નવેમ્બરે જ પરિક્રમા શરૂ કરે અને અગાઉથી આવીને ભીડ ન કરે.

વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે ગિરનાર ક્ષેત્રમાં ઇકોઝોન લાગુ હોવાથી પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાવરણની જાળવણી માટે પરિક્રમામાં પ્લાસ્ટિક સાથે ન લાવવા વિનંતી કરાઈ છે. સાથે જ, ગીરનાર જંગલી વિસ્તાર હોવાથી કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે ભાવિકોને જાહેર કરાયેલા રૂટ પર જ પરિક્રમા કરવા ખાસ વિનંતી કરવામાં આવી છે. જૂનાગઢ વહીવટી તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ભાવિકોને પૂર્તિ સુખ-સુવિધા અને સલામતી પૂરી પાડવાનો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...