Saturday, February 28, 2026

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર પાડવામાં આવી શકે છે.વટહુકમનો મુસદો તૈયાર કરવા માટે નિષ્ણાંતોની કમીટીનું ગઠન કરવામાં આવ્યું છે.

રાજય સરકારનાં ટોચના સુત્રોએ કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાય તેવી શકયતા છે. તે પૂર્વે કોચીંગ કલાસો માટે રજીસ્ટ્રેશન, સલામતી, વિદ્યાર્થીઓની સંખ્યા, અભ્યાસનાં કલાકો સહિતના નિયમનો સાથેનો વટહુકમ બહાર પાડવાનો ઈરાદો છે.

સૂચિત વટહુકમમાં કેટલાંક મહત્વના પાસાઓને આવરી લેવામાં આવશે. જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા વિદ્યાર્થી દીઠ કલાસમાં ન્યુનતમ જગ્યા, અધવચ્ચેથી કલાસ છોડે તો વિદ્યાર્થીઓને રીફંડ,શિક્ષક-વિદ્યાર્થીને ફરજીયાત અઠવાડીક રજા, વિદ્યાર્થીઓની માનસીક તંદુરસ્તી, કલાસની ઈમારતનાં કમ્પલીશન સર્ટીફીકેટ તથા ફાયર સેફટીનાં સાધનો જેવા પાસાઓનો સમાવેશ થશે.

રાજય સરકારનાં સીનીયર અધિકારીએ કહ્યું કે શિક્ષણ વિભાગ રાજસ્થાન તથા અન્ય રાજયોનાં કોચીંગ કલાસોનાં નિયમોનો અભ્યાસ કરી રહ્યો છે.સુપ્રિમ કોર્ટે જારી કરેલી સુચનાનાં આધારે કેન્દ્ર સરકારે નકકી કરેલી માર્ગદર્શિકા મુજબ સુચીવ વટહુકમમાં નિયમનો નકકી કરવામાં આવશે.

રસપ્રદ વાત એ છે કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા તથા અન્ય કેટલાંક રાજયોએ ઘડેલા કાયદામાં કોચીંગ કલાસનાં ફી નિયમન વિશે કોઈ વાત નથી. સુત્રોના કહેવા પ્રમાણે ગુજરાતમાં કોચીંગ કલાસનું સરકારમાં કોઈ રજીસ્ટ્રેશન થતુ નથી અને તેના દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક સવા લાખથી સવા બે લાખ સુધી ફી વસુલવામાં આવે છે.

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ જ સુચિત વટહુકમ તૈયાર કરવામાં આવે તો કોચીંગ કલાસો ધો.10 થી નીચેના ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી શકે.

ગુજરાતમાં કોચીંગ કલાસનો ડેટાબેઈઝ મેળવવા ઉપરાંત વિદ્યાર્થીઓ સુરક્ષિત અને તંદુરસ્ત માહોલમાં અભ્યાસ કરી શકે તેવો સરકારનો આશય છે. ભણતરનાં ભાર તથા વાલીઓની ઉંચી અપેક્ષામાં કારણે ટેન્શનમાં આવતા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવા પ્રેરાય છે.

તેની ગંભીર નોંધ લેવાય રહી છે.આ સિવાય સુધીમાં કોચીંગ કલાસમાં અગ્નિકાંડ સર્જાયો હતો તેમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને ત્યારે કલાસોમાં સુરક્ષા મામલે સવાલ ઉઠયા હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...