Sunday, November 9, 2025

નારણપુરામાં હોદ્દેદારોની સંયુક્ત મિટિંગ : બે લાખ જેટલી પત્રિકાઓ હાઉસીંગમાં ઘર ઘર સુધી પહોચાડાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર અને નવા વાડજની જુદી જુદી હાઉસીંગ સોસાયટીઓના રહીશો છેલ્લાં કેટલાંય વર્ષોથી માગણી કરી રહ્યા છે. છેલ્લા છ મહિનાથી ધરણાં, પોસ્ટરો સહીત હાઉસીંગ કમિશ્નરથી લઈને મુખ્યમંત્રી સુધી રજુઆત કરી ચુક્યા છે છતાં હાઉસીંગના પ્રશ્નો જેમ કે હાઉસીંગના દસ્તાવેજ, વધારાના બાંધકામના દંડ વગેરે તથા રિડેવલપમેન્ટ પોલીસીમાં ફેરફાર અંગે કોઈ નિર્ણય ન લેવાતા હાઉસીંગના રહીશો ફરી લડી લેવાના મૂડમાં હોવાનું જણાયું છે.

ગત ગુરુવારે ગુજરાત હાઉસીંગ બોર્ડની જુદી જુદી સોસાયટીઓના અગ્રણી હોદ્દેદારોની સંયુક્ત મિટિંગ નારણપુરા ખાતે પ્રગતિનગરના બગીચામાં મળેલ હતી. જેમાં રિડેવલપમેન્ટનું સરળીકરણ તથા દસ્તાવેજના અડચણો દૂર કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મિટિંગ સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે હાઉસીંગના રહીશોને ઉપરોકત પ્રશ્ને જાગૃત કરવા માટે આ મુદ્દાઓને લગતા પ્રશ્નોની આશરે બે લાખ પત્રિકાઓ હાઉસીંગના ઘરે ઘરે પહોંચાડવાનું નક્કી કર્યું હતું અને આ પત્રિકાઓ દ્વારા હાઉસીંગના તમામ રહીશોને એકતા કરવા માટે પહોંચાડવામાં આવશે.

આ ઉપરાંત આ મિટિંગમાં ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ફૂલ ટાઇમ કાયમી કમિશનરની નિમણુંક કરવા માટે પણ માગણી કરવામાં આવી છે. જેથી કરીને અત્યારે બે મહિને એકવાર આવતા કમિશનરને મળવા માટે છેક ગાંધીનગરનો ધક્કો ખાવો પડે છે.જેના પરિણામે રહીશોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ નથી આવતું, તો તે માટે સરકારમાં રજૂઆત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ પત્રિકાઓ દ્વારા દરેક સોસાયટીઓમાં ગ્રુપ મીટીંગનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું. આગામી કાર્યક્રમો નક્કી કરવા માટે હોદ્દેદારોની ફરી મિટિંગ મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...