Wednesday, February 4, 2026

નારણપુરામાં હોદ્દેદારોની સંયુક્ત મિટિંગ : બે લાખ જેટલી પત્રિકાઓ હાઉસીંગમાં ઘર ઘર સુધી પહોચાડાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર અને નવા વાડજની જુદી જુદી હાઉસીંગ સોસાયટીઓના રહીશો છેલ્લાં કેટલાંય વર્ષોથી માગણી કરી રહ્યા છે. છેલ્લા છ મહિનાથી ધરણાં, પોસ્ટરો સહીત હાઉસીંગ કમિશ્નરથી લઈને મુખ્યમંત્રી સુધી રજુઆત કરી ચુક્યા છે છતાં હાઉસીંગના પ્રશ્નો જેમ કે હાઉસીંગના દસ્તાવેજ, વધારાના બાંધકામના દંડ વગેરે તથા રિડેવલપમેન્ટ પોલીસીમાં ફેરફાર અંગે કોઈ નિર્ણય ન લેવાતા હાઉસીંગના રહીશો ફરી લડી લેવાના મૂડમાં હોવાનું જણાયું છે.

ગત ગુરુવારે ગુજરાત હાઉસીંગ બોર્ડની જુદી જુદી સોસાયટીઓના અગ્રણી હોદ્દેદારોની સંયુક્ત મિટિંગ નારણપુરા ખાતે પ્રગતિનગરના બગીચામાં મળેલ હતી. જેમાં રિડેવલપમેન્ટનું સરળીકરણ તથા દસ્તાવેજના અડચણો દૂર કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મિટિંગ સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે હાઉસીંગના રહીશોને ઉપરોકત પ્રશ્ને જાગૃત કરવા માટે આ મુદ્દાઓને લગતા પ્રશ્નોની આશરે બે લાખ પત્રિકાઓ હાઉસીંગના ઘરે ઘરે પહોંચાડવાનું નક્કી કર્યું હતું અને આ પત્રિકાઓ દ્વારા હાઉસીંગના તમામ રહીશોને એકતા કરવા માટે પહોંચાડવામાં આવશે.

આ ઉપરાંત આ મિટિંગમાં ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ફૂલ ટાઇમ કાયમી કમિશનરની નિમણુંક કરવા માટે પણ માગણી કરવામાં આવી છે. જેથી કરીને અત્યારે બે મહિને એકવાર આવતા કમિશનરને મળવા માટે છેક ગાંધીનગરનો ધક્કો ખાવો પડે છે.જેના પરિણામે રહીશોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ નથી આવતું, તો તે માટે સરકારમાં રજૂઆત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ પત્રિકાઓ દ્વારા દરેક સોસાયટીઓમાં ગ્રુપ મીટીંગનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું. આગામી કાર્યક્રમો નક્કી કરવા માટે હોદ્દેદારોની ફરી મિટિંગ મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...