Thursday, September 18, 2025

નારણપુરામાં હોદ્દેદારોની સંયુક્ત મિટિંગ : બે લાખ જેટલી પત્રિકાઓ હાઉસીંગમાં ઘર ઘર સુધી પહોચાડાશે

Share

Share

અમદાવાદ : અમદાવાદના સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર અને નવા વાડજની જુદી જુદી હાઉસીંગ સોસાયટીઓના રહીશો છેલ્લાં કેટલાંય વર્ષોથી માગણી કરી રહ્યા છે. છેલ્લા છ મહિનાથી ધરણાં, પોસ્ટરો સહીત હાઉસીંગ કમિશ્નરથી લઈને મુખ્યમંત્રી સુધી રજુઆત કરી ચુક્યા છે છતાં હાઉસીંગના પ્રશ્નો જેમ કે હાઉસીંગના દસ્તાવેજ, વધારાના બાંધકામના દંડ વગેરે તથા રિડેવલપમેન્ટ પોલીસીમાં ફેરફાર અંગે કોઈ નિર્ણય ન લેવાતા હાઉસીંગના રહીશો ફરી લડી લેવાના મૂડમાં હોવાનું જણાયું છે.

ગત ગુરુવારે ગુજરાત હાઉસીંગ બોર્ડની જુદી જુદી સોસાયટીઓના અગ્રણી હોદ્દેદારોની સંયુક્ત મિટિંગ નારણપુરા ખાતે પ્રગતિનગરના બગીચામાં મળેલ હતી. જેમાં રિડેવલપમેન્ટનું સરળીકરણ તથા દસ્તાવેજના અડચણો દૂર કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મિટિંગ સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે હાઉસીંગના રહીશોને ઉપરોકત પ્રશ્ને જાગૃત કરવા માટે આ મુદ્દાઓને લગતા પ્રશ્નોની આશરે બે લાખ પત્રિકાઓ હાઉસીંગના ઘરે ઘરે પહોંચાડવાનું નક્કી કર્યું હતું અને આ પત્રિકાઓ દ્વારા હાઉસીંગના તમામ રહીશોને એકતા કરવા માટે પહોંચાડવામાં આવશે.

આ ઉપરાંત આ મિટિંગમાં ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ફૂલ ટાઇમ કાયમી કમિશનરની નિમણુંક કરવા માટે પણ માગણી કરવામાં આવી છે. જેથી કરીને અત્યારે બે મહિને એકવાર આવતા કમિશનરને મળવા માટે છેક ગાંધીનગરનો ધક્કો ખાવો પડે છે.જેના પરિણામે રહીશોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ નથી આવતું, તો તે માટે સરકારમાં રજૂઆત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ પત્રિકાઓ દ્વારા દરેક સોસાયટીઓમાં ગ્રુપ મીટીંગનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું. આગામી કાર્યક્રમો નક્કી કરવા માટે હોદ્દેદારોની ફરી મિટિંગ મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...