અમદાવાદ : ગુજરાત સરકાર નવી શહેરી આવાસ નીતિ પર કામ કરી રહી છે, જેમાં અનેક મહત્વના ફેરફારો થવાની શક્યતા છે. જે મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને અન્ય ઓથોરીટીઓની કોલોનીઓને “ફ્રી હોલ્ડ” દરજ્જાે મળી શકે છે. હાલમાં આ મિલ્કતો “લીઝ હોલ્ડ” આધારિત છે, એટલે રહેવાસીઓ પાસે સંપૂર્ણ માલિકી હક નથી.
રિપોર્ટ મુજબ, 10 વર્ષ પછી સુધારેલ નીતિ, પ્રકૃતિમાં વધુ ઉદાર હશે અને જૂની હાઉસિંગ બોર્ડ વસાહતો, સ્થાનિક અથવા રાજ્ય સત્તાવાળાઓ અને જૂની ખાનગી સોસાયટીઓ દ્વારા બાંધવામાં આવેલી કોલોનીઓના રીડેવલપમેન્ટ દ્વારા પોસાય તેવા આવાસને પ્રોત્સાહન આપવાનો પાયો નાખશે. હાલમાં શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ દ્વારા વિકસાવવામાં આવી રહેલી નીતિને ટૂંક સમયમાં જ સૂચિત કરવામાં આવે તેવી અપેક્ષા છે.
નવી પોલિસી હાઉસિંગ બોર્ડ અથવા ઓથોરિટીના સભ્યોને વધુ ટ્રાન્સફરપાત્ર અથવા વેચાણ અધિકારો આપશે. હાલમાં, તમામ હાઉસિંગ બોર્ડ વસાહતો 99-વર્ષના લીઝ સમયગાળા પર છે, જે તેમના વેચાણ અથવા ટ્રાન્સફરને પ્રતિબંધિત બનાવે છે. એકવાર સરકાર તેમને ફ્રી હોલ્ડ બનાવવાનો ર્નિણય લે, મિલકત ધારકો તેમની મિલકતોનો રીડેવલપમેન્ટ માટે પણ સરળતાથી નિકાલ કરી શકશે.
રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને વધુ આકર્ષક બનાવવા માટે સરકારનો ધ્યેય 3+ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) ઓફર કરવાનો છે. વિકાસકર્તાઓને વધુ જમીન મળશે અને મૂળ રહેવાસીઓને ફાળવણી બાદ વધુ એપાર્ટમેન્ટ વેચીને કમાણી કરવાનો વિકલ્પ મળશે. નામ જાહેર ન કરવા માંગતા અધિકારીઓએ જણાવ્યું કે, સરકાર હાઉસિંગ પ્રોજેક્ટને ફંડ આપવા માટે કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે ડેવલપરને વધુ ખુલ્લી જમીન આપવાની ઓફર કરી શકે છે.
પોલિસી પાછળનો એક ઉદ્દેશ્ય એ છે કે સારા એવા વિસ્તારોમાં નવા ખરીદદારો માટે ખર્ચ-અસરકારક ઘરો માટે જગ્યા બનાવી શકાય જ્યાં અન્ય મિલકતોની કિંમતો તુલનાત્મક રીતે ઊંચી હોય. એવી ચર્ચા છે કે વિકાસ નિયમો પણ તમામ સરકારી-ઓથોરિટી સંચાલિત અથવા ખાનગી હાઉસિંગ સોસાયટીઓ માટે હળવા બનાવે છે, સૂત્રોએ ઉમેર્યું.
સરકાર માને છે કે ફ્રી હોલ્ડ સિસ્ટમથી હાઉસિંગ બોર્ડની જૂની કોલોનીઓના રીડેવલપમેન્ટને પણ ગતિ મળશે અને મિલ્કતોની બજાર કિંમતમાં વધારો થઈ શકે છે. આ નીતિ હજી વિચારાધીન છે અને તેની અંતિમ જાહેરાત તથા અમલની વિગતો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.
ગુજરાતની નવી અર્બન હાઉસિંગ પોલિસી :“ફ્રી હોલ્ડ” કઈ રીતે લાગુ કરી શકે છે…??
અમદાવાદ: ગુજરાત સરકાર રાજ્ય માટે નવી અર્બન હાઉસિંગ પોલિસી તૈયાર કરી રહી છે, જેમાં જૂની હાઉસિંગ બોર્ડ તથા સરકારી સત્તામંડળોની કોલોનીઓને “ફ્રી હોલ્ડ” કરવાનો મહત્વપૂર્ણ પ્રસ્તાવ ચર્ચામાં છે. રિયલ એસ્ટેટ અને અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રના નિષ્ણાતો આ પોલિસીને રાજ્યના શહેરી વિકાસ માટે “સ્ટ્રક્ચરલ રિફોર્મ” તરીકે જાેવી રહ્યા છે.
હાલમાં રાજ્યની અનેક જૂની કોલોનીઓ 99 વર્ષની લીઝ હોલ્ડ પદ્ધતિ હેઠળ આવે છે, જેના કારણે મિલ્કતના વેચાણ, બેંક લોન, વારસાગત હક અને રીડેવલપમેન્ટ પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થાય છે. નવી પોલિસી અંતર્ગત સરકાર લીસ હોલ્ડ મિલ્કતોને ફ્રી હોલ્ડમાં પરિવર્તિત કરવાની યોજના પર વિચાર કરી રહી છે.
હાઉસિંગ બાબતોના જાણકારના મતે સરકાર “લીઝ હોલ્ડ ટુ ફ્રી હોલ્ડ કન્વર્શન સ્કીમ” અમલમાં મૂકી શકે છે. આ મોડેલ હેઠળ રહેવાસીઓ પાસેથી એક વખત કન્વર્શન ફી લેવામાં આવશે અને ત્યારબાદ તેમને સંપૂર્ણ માલિકીનો ફ્રી હોલ્ડ સર્ટિફિકેટ આપવામાં આવશે. સરકાર દ્વારા સંપુર્ણ પણે ફ્રી હોલ્ડ કરે તેવી શક્યતા ઓછી છે.
આ ઉપરાંત સરકાર નવી અર્બન હાઉસિંગ પોલિસીમાં વિવિધ ઓપ્શન રાખી શકે છે, જેમાં વર્તમાન હાઉસિંગ પોલીસી મુજબ રીડેવલપમેન્ટ બાદ જ ફ્રી હોલ્ટનો ઓપ્શન, નવી પોલીસી કે જેમાં પ્રિમિયમ ભર્યા બાદ ફ્રી હોલ્ટનો ઓપ્શન આપી શકે છે.આ ઉપરાંત સરકાર જંત્રી વેલ્યુ આધારિત વન ટાઈમ ચાર્જ નક્કી કરી શકે છે.
ઉપરાંત LIG અને EWS વર્ગ માટે ખાસ ઘટાડેલા દરો પણ લાવવામાં આવી શકે છે. પ્રક્રિયાને સરળ બનાવવા ઓનલાઇન અરજી અને ડિજિટલ વેરિફિકેશન સિસ્ટમ પણ અમલમાં આવી શકે છે.અર્બન પ્લાનિંગ નિષ્ણાતોના જણાવ્યા મુજબ ફ્રી હોલ્ડ બાદ મિલ્કતના ટાઈટલ સ્પષ્ટ બનશે, જેથી રીડેવલપમેન્ટ પ્રોજેકટ ઝડપથી આગળ વધી શકશે.


