Saturday, September 5, 2026

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

spot_img
Share

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં આવ્યો છે. પવિત્ર પર્વે સોમનાથધામ ખાતે શ્રદ્ધાનું મહાસાગર ઉમટી પડ્યું છે. આ પાવન અવસરે સોમનાથ મહાદેવના ગર્ભગૃહમાં હરિ (શ્રીકૃષ્ણ) અને હર (મહાદેવ) નો અદભુત અને અદ્વિતીય ત્રિવેણી સંગમ રચાયેલો જોવા મળ્યો હતો, જેને નિહાળીને દેશ-વિદેશમાંથી આવેલા શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા.

રિપોર્ટ મુજબ, જન્માષ્ટમીના પાવન અવસરે શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર શ્રીકૃષ્ણની સોમ્ય મુદ્રાની વિશેષ પ્રતિકૃતિ રચવામાં આવી હતી. શિવ સ્વરૂપે બિરાજમાન સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર શ્રીકૃષ્ણના દર્શન થતાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો હતો.આ વિશેષ શૃંગારનું વિશેષ આકર્ષણ અંદાજિત રૂ. ૨ કરોડની કિંમતનું સુવર્ણ મુગટ રહેલ. શ્રી સોમનાથ મંદિરના સમગ્ર ગર્ભગૃહને અગાઉ સુવર્ણમંડિત કરનાર ભક્ત પરિવાર એવા લખી પરિવાર દ્વારા તાજેતરમાં ફરી વખત સોમનાથ મહાદેવના ચરણોમાં અંદાજે 2 કરોડની કિંમતનો સુવર્ણ મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. જન્માષ્ટમીના પાવન અવસરે આ સુવર્ણ મુગટને શ્રી સોમનાથ મહાદેવને ધારણ કરાવી વિશેષ શૃંગારમાં અલંકૃત કરવામાં આવ્યા હતા.

‘કૃષ્ણ દર્શન શૃંગાર’ અંતર્ગત ગર્ભગૃહમાં શ્રીકૃષ્ણની વિવિધ બાળલીલાઓને પણ ભાવસભર રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી. વસુદેવજી દ્વારા બાળ કૃષ્ણને યમુનાજી પાર લઈ જવાનો પ્રસંગ, ગાયોના સાનિધ્યમાં વાંસળી વગાડતા ગોપાળ શ્રીકૃષ્ણ, તેમજ હિંડોળામાં ઝૂલતા શ્રીકૃષ્ણની મનોહર પ્રતિમૂર્તિઓ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીકૃષ્ણના દિવ્ય દર્શન પામી ભક્તોએ હરિહર એકત્વની સાક્ષાત્ ઝાંખી અનુભવી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...