Sunday, September 20, 2026

મોડી રાતે કાલુપુર બ્રિજ પર AMTS બસનો કાળમુખો અકસ્માત: 3 ટુ-વ્હીલરને અડફેટે લેતાં 4 ઈજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન સેવાઓની બેદરકારીને કારણે વધુ એક ગંભીર માર્ગ અકસ્માત સામે આવ્યો છે. શહેરના કાલુપુર બ્રિજ પર 137 નંબર રૂટની AMTS EV બસના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારીને 2થી 3 જેટલાં ટુ-વ્હીલરોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટુ-વ્હીલરના કચ્ચરઘાણ બોલી ગયા હતા તો મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

રિપોર્ટ મુજબ, કાલુપુર બ્રિજ પર ટ્રાફિકની અવરજવર ચાલુ હતી તે સમયે બેફામ ઝડપે આવતી રૂટ નંબર 137 પર દોડતી ‘AEEV 0L’ રજિસ્ટ્રેશન નંબરની AMTS ઈલેક્ટ્રિક બસ રામદેવ મસાલાથી બાપુનગર તરફ જઈ રહી હતી.બસ કાલુપુર બ્રિજ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી નજીક પહોંચી ત્યારે ચાલકે આગળ ચાલી રહેલા ટુ-વ્હીલર્સ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પ્રાથમિક ટક્કર બાદ ગભરાયેલા બસ ચાલક માનસિંગ રાઠોડે બસ રિવર્સ લેવાનો પ્રયાસ કરતા પાછળ આવી રહેલા અન્ય બે-વ્હીલર પણ બસ નીચે કચડાઈ ગયા હતા.

ઘટના બનતા જ આસપાસના સ્થાનિકો અને રોડ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળે લોકોના મોટા ટોળાં એકઠા થઈ ગયા હતા. લોકોએ ત્વરિત ધોરણે ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતને કારણે કાલુપુર બ્રિજ પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

બનાવની ગંભીરતા જોઈ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી રોષે ભરાયેલા લોકોને વિખેર્યા હતા. હાલમાં બસ અને તેના ચાલક માનસિંગ રાઠોડને અટકાયતમાં લઈ ‘E’ ટ્રાફિક પોલીસ સ્ટેશન (હવેલી) દ્વારા ગુનો નોંધી આગળની કાનૂની તપાસ શરૂ કરવામાં આવી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...