Friday, February 13, 2026

નવા કાયદાને લઈને સરકારની મોટી જાહેરાત, પેપર લીક કરનાર અને ખરીદનાર વિરુદ્ધ થશે કડક કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : ગુજરાત સરકારને પેપર લીક મુદ્દે જેટલું સહન કરવું પડ્યું છે તેટલું લગભગ અન્ય કોઇ મુદ્દે સહન કરવાનું આવ્યું નથી. તેવામાં પેપરલીકના કારણે પરેશાન સરકાર હવે કડક કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પેપરલીક કરનારાઓ વિરુદ્ધ હળવી કલમો હેઠળ કાર્યવાહી થતી હોવાના કારણે તેઓ ઝડપાયાના ગણતરીના દિવસોમાં છુટી ગયા બાદ ફરી એકવાર પોતાનો ધંધો ફરી એકવાર શરૂ કરી દેતા હોય છે.

પેપર લીક કાંડ મામલે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટનામાં ખબર પડતાની સાથે જ ગુજરાત ATSએ કામગીરી હાથ ધરી હતી અને શંકાસ્પદ 15 લોકોની ધરપકડ કરી લીધી હતી. કોઈની સાથે પણ અન્યાય ના થાય તે માટે પરીક્ષા રદ કરાઈ હતી. ત્રણ-ચાર મહિનાથી કાયદો બનાવવા તજવીજ ચાલુ છે. આ વિધાનસભામાં કાયદો પસાર કરવામાં આવશે. એટલું જ નહીં, જૂનિયર ક્લાર્કનું પેપર ફોડનાર આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની કાયદામાં જોગવાઈ કરાશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત સરકારે હવે આવા કૌભાંડીઓ ફરી છુટી ન શકે ઉપરાંત જે લીક થયેલા પેપર ખરીદનાર વિદ્યાર્થીઓ પણ ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષા ન આપી શકે એવો જડબેસલાક કાયદો લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. જેના કારણે પેપર વેચનાર તો કડક રીતે દંડાશે જ સાથે સાથે જે ખરીદનારા વિદ્યાર્થીઓ હશે તેને પણ આજીવન માટે બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે.

આ ઉપરાંત જે વ્યક્તિ પેપર લીક કરનાર દોષીત સાબિત થશે તેની સંપત્તિ પણ ટાંચમા લેવામાં આવે તેવા પ્રાવધાનો ઉમેરવામાં આવશે.સરકાર તમામ પ્રકારે ફુલપ્રુફ સિસ્ટમ બનાવવા માંગે છે જેના કારણે હાલ કાયદા પર કાયદાના નિષ્ણાંતો અને ઉચ્ચ અધિકારીઓ સમગ્ર પ્રક્રિયાનો ઝીણવટથી અભ્યાસ કરી રહ્યા છે. જેથી કોઇ પણ છટકબારી છુટી ન જાય અને જે વ્યક્તિ ગુનો કરે તે જેલના સળીયા સુધી પહોંચે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...