Monday, March 2, 2026

શ્રદ્ધા સામે સત્તા નમશે ! અંબાજીમાં શ્રદ્ધાળુઓનાં ભારે વિરોધ બાદ મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થવાની શક્યતા

spot_img
Share

અંબાજી : યાત્રાધામ અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઇને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન તથા બનાસકાંઠા કલેક્ટરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ શ્રદ્ધાળુઓની લાગણી અને માગણીને લઇ ટૂંક સમયમમાં જન હિતકારી નિર્ણય લેવાશે તેવી ખાતરી આપી છે. વિપક્ષ અને શ્રદ્ધાળુઓનાં વિરોધને જોતાં તંત્રએ પાછીપાની કરવી પડે તેમ છે.

અંબાજી મંદિરમાં પ્રસાદ બદલવાથી ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, એ મંદિરનાં વહીવટકર્તાઓએ વિચાર્યું પણ નહીં હોય. ટ્રસ્ટી મંડળે આસ્થા અને પરંપરા સાથે વણાઈ ગયેલા મોહનથાળની જગ્યા ચિકીનો પ્રસાદ શરૂ કરાવ્યો. જો કે તેની સામે શ્રદ્ધાળુઓએ વાંધો ઉઠાવ્યો, વિરોધ કર્યો. હિંદુ સંગઠનોએ સોમવારે બનાસકાંઠાના કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું. વહીવટી તંત્ર સામ રોષ ઠાલવ્યો. જિલ્લા કલેક્ટરે તમામની રજૂઆત સાંભળીને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી.

કલેક્ટરનાં આ નિવેદનને જોતાં આશાવાદ ઉભો થયો છે કે મંદિર ટ્રસ્ટ ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરી શકે છે. જો કે અહીં કલેક્ટરની એ સ્પષ્ટતા નોંધવા જેવી છે, જેમાં તેઓ કહે છે કે પ્રસાદને કમાણી સાથે કોઈ લેવા દેવા નથી.તેનું કારણ એ છે કે વિપક્ષ કોંગ્રેસે મંદિર ટ્રસ્ટ પર ચિકીનાં પ્રસાદના નામે કમાણી વધારવાનો આક્ષેપ કર્યો હતો.

શ્રદ્ધાળુઓની પણ એક જ માગ છે કે અંબાજીમાં પ્રસાદ તરીકે મોહનથાળ જ જોઈએ…મંદિરમાં આવતા દર્શનાર્થીઓ તો ચિક્કીનાં પ્રસાદનો બહિષ્કાર પણ કરી રહ્યા છે.હવે જોવું એ રહેશે કે મંદિરનાં વહીવટકર્તાઓ પ્રસાદ અંગે શું નિર્ણય લે છે. વાત હવે વિધાનસભા સુધી પહોંચી છે, ત્યારે સરકારની પ્રતિક્રિયાની પણ રાહ જોવાઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...