Thursday, December 11, 2025

શ્રદ્ધા સામે સત્તા નમશે ! અંબાજીમાં શ્રદ્ધાળુઓનાં ભારે વિરોધ બાદ મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થવાની શક્યતા

spot_img
Share

અંબાજી : યાત્રાધામ અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઇને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન તથા બનાસકાંઠા કલેક્ટરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ શ્રદ્ધાળુઓની લાગણી અને માગણીને લઇ ટૂંક સમયમમાં જન હિતકારી નિર્ણય લેવાશે તેવી ખાતરી આપી છે. વિપક્ષ અને શ્રદ્ધાળુઓનાં વિરોધને જોતાં તંત્રએ પાછીપાની કરવી પડે તેમ છે.

અંબાજી મંદિરમાં પ્રસાદ બદલવાથી ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, એ મંદિરનાં વહીવટકર્તાઓએ વિચાર્યું પણ નહીં હોય. ટ્રસ્ટી મંડળે આસ્થા અને પરંપરા સાથે વણાઈ ગયેલા મોહનથાળની જગ્યા ચિકીનો પ્રસાદ શરૂ કરાવ્યો. જો કે તેની સામે શ્રદ્ધાળુઓએ વાંધો ઉઠાવ્યો, વિરોધ કર્યો. હિંદુ સંગઠનોએ સોમવારે બનાસકાંઠાના કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું. વહીવટી તંત્ર સામ રોષ ઠાલવ્યો. જિલ્લા કલેક્ટરે તમામની રજૂઆત સાંભળીને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી.

કલેક્ટરનાં આ નિવેદનને જોતાં આશાવાદ ઉભો થયો છે કે મંદિર ટ્રસ્ટ ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરી શકે છે. જો કે અહીં કલેક્ટરની એ સ્પષ્ટતા નોંધવા જેવી છે, જેમાં તેઓ કહે છે કે પ્રસાદને કમાણી સાથે કોઈ લેવા દેવા નથી.તેનું કારણ એ છે કે વિપક્ષ કોંગ્રેસે મંદિર ટ્રસ્ટ પર ચિકીનાં પ્રસાદના નામે કમાણી વધારવાનો આક્ષેપ કર્યો હતો.

શ્રદ્ધાળુઓની પણ એક જ માગ છે કે અંબાજીમાં પ્રસાદ તરીકે મોહનથાળ જ જોઈએ…મંદિરમાં આવતા દર્શનાર્થીઓ તો ચિક્કીનાં પ્રસાદનો બહિષ્કાર પણ કરી રહ્યા છે.હવે જોવું એ રહેશે કે મંદિરનાં વહીવટકર્તાઓ પ્રસાદ અંગે શું નિર્ણય લે છે. વાત હવે વિધાનસભા સુધી પહોંચી છે, ત્યારે સરકારની પ્રતિક્રિયાની પણ રાહ જોવાઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હોમગાર્ડ જવાન માટે મહત્ત્વની જાહેરાત, નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ

ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર...

ગુજરાત સરકારના AI આધારિત પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને...

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં...

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...