Monday, November 10, 2025

શ્રદ્ધા સામે સત્તા નમશે ! અંબાજીમાં શ્રદ્ધાળુઓનાં ભારે વિરોધ બાદ મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થવાની શક્યતા

spot_img
Share

અંબાજી : યાત્રાધામ અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઇને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન તથા બનાસકાંઠા કલેક્ટરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ શ્રદ્ધાળુઓની લાગણી અને માગણીને લઇ ટૂંક સમયમમાં જન હિતકારી નિર્ણય લેવાશે તેવી ખાતરી આપી છે. વિપક્ષ અને શ્રદ્ધાળુઓનાં વિરોધને જોતાં તંત્રએ પાછીપાની કરવી પડે તેમ છે.

અંબાજી મંદિરમાં પ્રસાદ બદલવાથી ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, એ મંદિરનાં વહીવટકર્તાઓએ વિચાર્યું પણ નહીં હોય. ટ્રસ્ટી મંડળે આસ્થા અને પરંપરા સાથે વણાઈ ગયેલા મોહનથાળની જગ્યા ચિકીનો પ્રસાદ શરૂ કરાવ્યો. જો કે તેની સામે શ્રદ્ધાળુઓએ વાંધો ઉઠાવ્યો, વિરોધ કર્યો. હિંદુ સંગઠનોએ સોમવારે બનાસકાંઠાના કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું. વહીવટી તંત્ર સામ રોષ ઠાલવ્યો. જિલ્લા કલેક્ટરે તમામની રજૂઆત સાંભળીને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી.

કલેક્ટરનાં આ નિવેદનને જોતાં આશાવાદ ઉભો થયો છે કે મંદિર ટ્રસ્ટ ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરી શકે છે. જો કે અહીં કલેક્ટરની એ સ્પષ્ટતા નોંધવા જેવી છે, જેમાં તેઓ કહે છે કે પ્રસાદને કમાણી સાથે કોઈ લેવા દેવા નથી.તેનું કારણ એ છે કે વિપક્ષ કોંગ્રેસે મંદિર ટ્રસ્ટ પર ચિકીનાં પ્રસાદના નામે કમાણી વધારવાનો આક્ષેપ કર્યો હતો.

શ્રદ્ધાળુઓની પણ એક જ માગ છે કે અંબાજીમાં પ્રસાદ તરીકે મોહનથાળ જ જોઈએ…મંદિરમાં આવતા દર્શનાર્થીઓ તો ચિક્કીનાં પ્રસાદનો બહિષ્કાર પણ કરી રહ્યા છે.હવે જોવું એ રહેશે કે મંદિરનાં વહીવટકર્તાઓ પ્રસાદ અંગે શું નિર્ણય લે છે. વાત હવે વિધાનસભા સુધી પહોંચી છે, ત્યારે સરકારની પ્રતિક્રિયાની પણ રાહ જોવાઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...