Monday, March 2, 2026

નવરંગપુરામાં રહેણાંક ફ્લેટમાં ચાલતા વિદેશી પ્રાણી-પક્ષીઓના ગેરકાયદે બ્રીડિંગ રેકેટનો પર્દાફાશ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવરંગપુરામાં આવેલા એક મકાનમાંથી વિદેશી પક્ષીઓ અને પ્રાણીઓના પ્રજનન અને વેચાણનું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસ મકાનમાંથી 46 પ્રાણીઓ અને 21 પક્ષીઓ ઝડપી પાડ્યા છે. મોટાભાગના પક્ષીઓ અને પ્રાણીઓની કિંમત લાખો રૂપિયા છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા સમગ્ર મામલે વન વિભાગ, કસ્ટમ વિભાગ અને AMCને પણ જાણ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા રાવલભાઈ એપાર્ટમેન્ટમાં ક્રાઈમ બ્રાન્ચે એક ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડીને ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. રહેણાંક ફ્લેટની અંદર અત્યંત જોખમી અને ગેરકાયદેસર રીતે વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓનું પ્રજનન તેમજ વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા અનેક દુર્લભ જીવો કબજે કર્યા હતા.

તપાસ દરમિયાન ફ્લેટના પાંજરાઓમાંથી અત્યંત દુર્લભ ગણાતા રેડ હેન્ડ ટેમરીન વાંદરાનું બચ્ચું, 7 પર્સિયન કેટ, 14 હેમ્સ્ટર અને 15 જેટલા મીની લોપ સસલા મળી આવ્યા હતા. આ ઉપરાંત, આકાશમાં મુક્ત વિહરતા 6 આફ્રિકન ગ્રે પેરોટ, ૫ બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ, 3 એક્લેક્ટસ પેરોટ અને સલ્ફર કોકાટુ જેવા મોંઘા પક્ષીઓ પણ પાંજરામાં કેદ હાલતમાં મળી આવ્યા હતા.આ જીવોની આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમત લાખોમાં હોવાનું માનવામાં મનાય રહ્યું છે.

કાયદાકીય પાસાઓની વાત કરીએ તો, આરોપી દ્વારા રજૂ કરાયેલા ‘પરિવેશ’ પોર્ટલના દસ્તાવેજો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ અને અધૂરા જણાયા છે. ગીચ રહેણાંક વિસ્તારમાં કોઈપણ વૈજ્ઞાનિક સુવિધા કે બાયોસિક્યુરિટી વગર આટલી મોટી સંખ્યામાં જંગલી જીવો રાખવા એ ગંભીર ગુનો છે. નિષ્ણાતોના મતે, આ રીતે પ્રાણીઓને રાખવાથી ‘ઝૂનોટિક’ રોગો ફેલાવાનું જોખમ રહે છે, જે સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.

આ રેકેટની ગંભીરતાને જોતા ક્રાઈમ બ્રાન્ચે આગળની કાર્યવાહી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ અને કસ્ટમ્સ વિભાગને સત્તાવાર જાણ કરી હતી અને હવે આ ત્રણેય વિભાગો સંયુક્ત રીતે આયાતની કાયદેસરતા અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરશે. રહેણાંક મકાનનો વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ કરવા બદલ પણ કડક પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...