Monday, November 10, 2025

મેડિકલ ઈન્શ્યોરન્સમાં ક્લેમ માટે 24 કલાક હોસ્પિટલમાં એડમિટ થવું જરૂરી નહીં : ગ્રાહક કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

spot_img
Share

વડોદરા : ગુજરાતના વડોદરા શહેરની એક ગ્રાહક કોર્ટે મેડિક્લેમ વિમાના એક પ્રકરણમાં મોટો નિર્ણય જાહેર કર્યો છે. ગ્રાહક કોર્ટે આપેલા આ નિર્ણય મુજબ મેડિક્લેમની રકમ મેળવવા માટે વ્યક્તિને દવાખાનામાં દાખલ કરવો પડશે કે પછી 24 કલાક સુધી એ દર્દી હોસ્પિટલમાં દેખરેખમાં હોવો જોઇએ તેવું જરુરી નથી. આવા જ એક કિસ્સામાં ગ્રાહક કોર્ટે મેડિક્લેમ કરનારી કંપનીને દર્દીને પૈસા આપવા માટે આદેશ આપ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના રમેશચંદ્ર જોશીએ 2017માં કન્ઝુમર ફોરમમાં એક મેડિક્લેમ કરી આપતી કંપનીના વિરોધમાં ફરિયાદ કરી હતી. જોશીએ એવો દાવો કર્યો હતો કે તેમની પત્નીને 2016માં ડર્મેટોમાયોસાઇટિસ થયો હતો. તેમને અમદાવાદના લાઇફકેર ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ ડોક્ટરોની સારવાર બાદ બીજા દિવસે જોશીની પત્નીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા. જોશીએ ઈન્શ્યોરન્સ કંપની સાથે 44468 રૂપિયાની ચુકવણી માંગી.પરંતુ ઈન્શ્યોરન્સ કંપનીની તરફથી જોશીને ચુકવણી કરવાનો ઈનકાર કરી દીધો. તેના વિરૂદ્ધ જોશીએ કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ દાખલ કરી હતી. ઈન્શ્યોરન્સ કંપનીએ તર્ક આપ્યો કે દર્દી સતત 24 કલાક સુધી ભરતી નથી થવાના કારણે ક્લેમ સેટલ નથી કરવામાં આવ્યો.

જોશીએ કન્ઝ્યુમર ફોરમના સામે પોતાના દસ્તાવેજ મુકીને પૈસા અપાવવાની માંગ કરી હતી. જોશીએ દાવો કર્યો કે તેની પત્નીને 24 નવેમ્બર 2016ની સાંજે 5.38 પર ભરતી કરવામાં આવ્યા હતા. તેમને બીજા દિવસે 25 નવેમ્બર 2016એ સાંજે 6.30 વાગ્યે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા

ફોરમે પોતાના નિર્ણયમાં કહ્યું કે તે માની લેવામાં આવશે કે દર્દીને 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં તે મેડિકલ ઈન્શ્યોરન્સનો ક્લેમ મેળવવાનો હકદાર છે. આધુનિક યુગમાં સારવાર માટે નવી નવી રીત અને દવાઓ વિકસિત થઈ ગઈ છે. એવામાં ડોક્ટર તેના જ અનુસાર સારવાર કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...