Thursday, January 15, 2026

મેડિકલ ઈન્શ્યોરન્સમાં ક્લેમ માટે 24 કલાક હોસ્પિટલમાં એડમિટ થવું જરૂરી નહીં : ગ્રાહક કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

spot_img
Share

વડોદરા : ગુજરાતના વડોદરા શહેરની એક ગ્રાહક કોર્ટે મેડિક્લેમ વિમાના એક પ્રકરણમાં મોટો નિર્ણય જાહેર કર્યો છે. ગ્રાહક કોર્ટે આપેલા આ નિર્ણય મુજબ મેડિક્લેમની રકમ મેળવવા માટે વ્યક્તિને દવાખાનામાં દાખલ કરવો પડશે કે પછી 24 કલાક સુધી એ દર્દી હોસ્પિટલમાં દેખરેખમાં હોવો જોઇએ તેવું જરુરી નથી. આવા જ એક કિસ્સામાં ગ્રાહક કોર્ટે મેડિક્લેમ કરનારી કંપનીને દર્દીને પૈસા આપવા માટે આદેશ આપ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના રમેશચંદ્ર જોશીએ 2017માં કન્ઝુમર ફોરમમાં એક મેડિક્લેમ કરી આપતી કંપનીના વિરોધમાં ફરિયાદ કરી હતી. જોશીએ એવો દાવો કર્યો હતો કે તેમની પત્નીને 2016માં ડર્મેટોમાયોસાઇટિસ થયો હતો. તેમને અમદાવાદના લાઇફકેર ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ ડોક્ટરોની સારવાર બાદ બીજા દિવસે જોશીની પત્નીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા. જોશીએ ઈન્શ્યોરન્સ કંપની સાથે 44468 રૂપિયાની ચુકવણી માંગી.પરંતુ ઈન્શ્યોરન્સ કંપનીની તરફથી જોશીને ચુકવણી કરવાનો ઈનકાર કરી દીધો. તેના વિરૂદ્ધ જોશીએ કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ દાખલ કરી હતી. ઈન્શ્યોરન્સ કંપનીએ તર્ક આપ્યો કે દર્દી સતત 24 કલાક સુધી ભરતી નથી થવાના કારણે ક્લેમ સેટલ નથી કરવામાં આવ્યો.

જોશીએ કન્ઝ્યુમર ફોરમના સામે પોતાના દસ્તાવેજ મુકીને પૈસા અપાવવાની માંગ કરી હતી. જોશીએ દાવો કર્યો કે તેની પત્નીને 24 નવેમ્બર 2016ની સાંજે 5.38 પર ભરતી કરવામાં આવ્યા હતા. તેમને બીજા દિવસે 25 નવેમ્બર 2016એ સાંજે 6.30 વાગ્યે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા

ફોરમે પોતાના નિર્ણયમાં કહ્યું કે તે માની લેવામાં આવશે કે દર્દીને 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં તે મેડિકલ ઈન્શ્યોરન્સનો ક્લેમ મેળવવાનો હકદાર છે. આધુનિક યુગમાં સારવાર માટે નવી નવી રીત અને દવાઓ વિકસિત થઈ ગઈ છે. એવામાં ડોક્ટર તેના જ અનુસાર સારવાર કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...