Sunday, November 9, 2025

ATSએ પકડેલા આતંકીની તપાસમાં ખુલાસો, સાઈનાઈડ કરતા ખતરનાક ઝેર બનાવવાનો પ્લાન

spot_img
Share

અમદાવાદ : ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી ત્રણ પિસ્તોલ, 30 કારતૂસ અને મોટી માત્રામાં રસાયણો જપ્ત કરવામાં આવ્યા છે. ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓમાંથી એક, ડૉ. અહેમદ સૈયદ, ડૉક્ટર છે. ડૉ. અહેમદે ચીનથી MBBSની ડિગ્રી મેળવી હતી. ડૉ. અહેમદ પોતે હૈદરાબાદના છે, જ્યારે મોહમ્મદ સુહેલ અને આઝાદ બંને ઉત્તર પ્રદેશના છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સૈયદ નામના આરોપીની પૂછપરછમાં એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. સૈયદે આ સામગ્રી રાજસ્થાનના હનુમાનગઢમાં રહેતા બે અન્ય આરોપીઓ, આઝાદ અને સોહિલ પાસેથી મેળવી હતી. હૈદરાબાદ પરત ફર્યા પછી, તે સાયનાઇડ કરતાં પણ વધુ ખતરનાક ઝેર બનાવવાની તૈયારી કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, ઝેર પાવડર સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યું હતું અને તેને ખોરાકમાં ભેળવવાનો હતો.

પકડાયેલા આતંકીની વધુ પૂછપરછ કર્યા બાદ બનાસકાંઠાથી બે શકમંદોની પૂછપરછ કરવામાં આવતા તેમનો પણ તેમાં રોલ જણાઈ આવ્યો હતો. આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુલેમાન મોહમ્મદ સલીમ ખાન નામ છે. આ બન્ને યુપીના રહેવાસી છે. આ લોકો દ્વારા હથિયારની ડિલિવરી કલોલ ખાતે અવાવરું જગ્યાએ મૂકવામાં આવી હતી. જેની રિકવરી હૈદરાબાદથી આવેલા આતંકી દ્વારા કરવામાં આવી હતી.

આતંકીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમણે દેશના કેટલાક સંવેદનશીલ શહેરોની રેકી કરી હતી. હૈદરાબાદના આતંકીની વધુ પૂછપરછ કરવામાં આવતાં જણાઈ આવ્યું હતું કે, રાઈઝિન નામના ખૂબ જ ઝેરી પદાર્થને બનાવવામાં આવ્યું હતું. જેના પૂરાવા તેના ફોનમાંથી મળી આવ્યા છે. આ આતંકીના 17 તારીખ સુધીના રિમાન્ડ મળ્યા છે. જ્યારે અન્ય બે આતંકીને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...