Saturday, April 25, 2026

ATSએ પકડેલા આતંકીની તપાસમાં ખુલાસો, સાઈનાઈડ કરતા ખતરનાક ઝેર બનાવવાનો પ્લાન

spot_img
Share

અમદાવાદ : ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી ત્રણ પિસ્તોલ, 30 કારતૂસ અને મોટી માત્રામાં રસાયણો જપ્ત કરવામાં આવ્યા છે. ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓમાંથી એક, ડૉ. અહેમદ સૈયદ, ડૉક્ટર છે. ડૉ. અહેમદે ચીનથી MBBSની ડિગ્રી મેળવી હતી. ડૉ. અહેમદ પોતે હૈદરાબાદના છે, જ્યારે મોહમ્મદ સુહેલ અને આઝાદ બંને ઉત્તર પ્રદેશના છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સૈયદ નામના આરોપીની પૂછપરછમાં એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. સૈયદે આ સામગ્રી રાજસ્થાનના હનુમાનગઢમાં રહેતા બે અન્ય આરોપીઓ, આઝાદ અને સોહિલ પાસેથી મેળવી હતી. હૈદરાબાદ પરત ફર્યા પછી, તે સાયનાઇડ કરતાં પણ વધુ ખતરનાક ઝેર બનાવવાની તૈયારી કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, ઝેર પાવડર સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યું હતું અને તેને ખોરાકમાં ભેળવવાનો હતો.

પકડાયેલા આતંકીની વધુ પૂછપરછ કર્યા બાદ બનાસકાંઠાથી બે શકમંદોની પૂછપરછ કરવામાં આવતા તેમનો પણ તેમાં રોલ જણાઈ આવ્યો હતો. આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુલેમાન મોહમ્મદ સલીમ ખાન નામ છે. આ બન્ને યુપીના રહેવાસી છે. આ લોકો દ્વારા હથિયારની ડિલિવરી કલોલ ખાતે અવાવરું જગ્યાએ મૂકવામાં આવી હતી. જેની રિકવરી હૈદરાબાદથી આવેલા આતંકી દ્વારા કરવામાં આવી હતી.

આતંકીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમણે દેશના કેટલાક સંવેદનશીલ શહેરોની રેકી કરી હતી. હૈદરાબાદના આતંકીની વધુ પૂછપરછ કરવામાં આવતાં જણાઈ આવ્યું હતું કે, રાઈઝિન નામના ખૂબ જ ઝેરી પદાર્થને બનાવવામાં આવ્યું હતું. જેના પૂરાવા તેના ફોનમાંથી મળી આવ્યા છે. આ આતંકીના 17 તારીખ સુધીના રિમાન્ડ મળ્યા છે. જ્યારે અન્ય બે આતંકીને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...