Thursday, January 15, 2026

ATSએ પકડેલા આતંકીની તપાસમાં ખુલાસો, સાઈનાઈડ કરતા ખતરનાક ઝેર બનાવવાનો પ્લાન

spot_img
Share

અમદાવાદ : ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી ત્રણ પિસ્તોલ, 30 કારતૂસ અને મોટી માત્રામાં રસાયણો જપ્ત કરવામાં આવ્યા છે. ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓમાંથી એક, ડૉ. અહેમદ સૈયદ, ડૉક્ટર છે. ડૉ. અહેમદે ચીનથી MBBSની ડિગ્રી મેળવી હતી. ડૉ. અહેમદ પોતે હૈદરાબાદના છે, જ્યારે મોહમ્મદ સુહેલ અને આઝાદ બંને ઉત્તર પ્રદેશના છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સૈયદ નામના આરોપીની પૂછપરછમાં એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. સૈયદે આ સામગ્રી રાજસ્થાનના હનુમાનગઢમાં રહેતા બે અન્ય આરોપીઓ, આઝાદ અને સોહિલ પાસેથી મેળવી હતી. હૈદરાબાદ પરત ફર્યા પછી, તે સાયનાઇડ કરતાં પણ વધુ ખતરનાક ઝેર બનાવવાની તૈયારી કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, ઝેર પાવડર સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યું હતું અને તેને ખોરાકમાં ભેળવવાનો હતો.

પકડાયેલા આતંકીની વધુ પૂછપરછ કર્યા બાદ બનાસકાંઠાથી બે શકમંદોની પૂછપરછ કરવામાં આવતા તેમનો પણ તેમાં રોલ જણાઈ આવ્યો હતો. આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુલેમાન મોહમ્મદ સલીમ ખાન નામ છે. આ બન્ને યુપીના રહેવાસી છે. આ લોકો દ્વારા હથિયારની ડિલિવરી કલોલ ખાતે અવાવરું જગ્યાએ મૂકવામાં આવી હતી. જેની રિકવરી હૈદરાબાદથી આવેલા આતંકી દ્વારા કરવામાં આવી હતી.

આતંકીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમણે દેશના કેટલાક સંવેદનશીલ શહેરોની રેકી કરી હતી. હૈદરાબાદના આતંકીની વધુ પૂછપરછ કરવામાં આવતાં જણાઈ આવ્યું હતું કે, રાઈઝિન નામના ખૂબ જ ઝેરી પદાર્થને બનાવવામાં આવ્યું હતું. જેના પૂરાવા તેના ફોનમાંથી મળી આવ્યા છે. આ આતંકીના 17 તારીખ સુધીના રિમાન્ડ મળ્યા છે. જ્યારે અન્ય બે આતંકીને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...