Sunday, November 9, 2025

AMC દ્વારા પાયલોટ પ્રોજેક્ટ : અમદાવાદમાં મજબૂત ડામરના રોડ બનાવવાની આ નવી ટેકનોલોજી ઉપયોગમાં લેવાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં રોડ તૂટવાની સમસ્યા દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહાડી વિસ્તારમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસ્તો બનાવવામાં આવે એવા ટેકનોલોજી મુજબનો રોડ બનાવવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.પ્રાયોગિક ધોરણે પીરાણા પાસે આ રોડ તૈયાર કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહાડી વિસ્તારમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસ્તો બનાવવામાં આવે તેવા ટેકનોલોજી મુજબનો રોડ બનાવવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. પ્રાયોગિક ધોરણે પીરાણા પાસે આ રોડ તૈયાર કરવામાં આવશે. ડામરના રોડ બનાવતી વખતે ત્રણ લેયરમાં બનાવવામાં આવે છે એની જગ્યાએ બેઝમાં પોલીઇથીલિનમાંથી બનેલી શીટ મૂકવામાં આવશે. જેનાથી રોડ મજબૂત અને ટકાઉ બને છે જેનાથી રોડ ધસી પડવાની કે તૂટી જવાની ઘટના બનતી નથી.ખાસ કરીને આ ટેકનોલોજીનો ઉપયોગ ઉત્તર-પૂર્વ રાજ્યોમાં રોડ બનાવવામાં આવે છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી રોડનો ખર્ચ પણ 30 ટકા ઓછો થશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ દાવો કર્યો હતો કે, શહેરમાં ડામરનો રોડ બનાવવા લેયર કરવામાં આવે છે અને બેઝ બનાવવામાં આવે ત્યારે તેમાં ચાર એમએમની પોલિ ઇથિલિનની સીટનો ઉપયોગ કરવામાં આવે જેનાથી રોડ મજબૂત બને છે. આ સીટનો ઉપયોગ કરવાથી રોડ બનાવતી વખતે જે ત્રણ વાર લેયર કરવું પડે છે તેમાં એક લેયરમાં ઘટાડો થશે એટલે કે બે લેયર કરવાના રહેશે.

શહેરમાં દર ચોમાસા અને કેટલાક મહિનાઓ બાદ રોડ તૂટી જવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડને મજબૂત અને ટકાઉ કરવા માટે ઉત્તર પૂર્વી રાજ્યોમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પોલિ ઇથિલિન કેમિકલના ઉપયોગથી શીટ બનાવવામાં આવે છે, તે શીટ મૂકીને રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. આ રોડ હાલ બનાવવામાં આવશે. જો આ ટેકનોલોજી ઉપયોગી નીવડશે તો આગામી દિવસોમાં શહેરમાં રોડ બનાવવા માટે આ ટેકનોલોજી વપરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...