Monday, November 10, 2025

ગુજરાતના આ સમાજે યુવાનોને કર્યું ફરમાન, દાઢી રાખશે તો રૂ.51 હજારનો દંડ

spot_img
Share

બનાસકાંઠા : બનાસકાંઠાના ધાનેરા તાલુકાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે આખો સમાજ રવિવારે ધાનેરાની કોલેજ કેમ્પસમાં ભેગા મળી સમાજમાં મોટા પ્રમાણમાં સુધારા કર્યા હતા. તાલુકામાં પાણીની સમસ્યા ઉભી થવાથી ખર્ચાઓ ઉપર પણ કંન્ટ્રોલ કરવા માટે તેમજ યુવાનોને દાઢી ના રાખવા આગેવાનો દ્વારા સામાજીક સુધારા કરાયા હતા. અને જે નિયમનો ભંગ કરશે તેને દંડ કરવાની જોગવાઈ કરી છે.

લગ્ન પ્રસંગોમાં દેખા દેખી અને દેખાડો કરવામાં ખોટા ખર્ચા થઈ જતા હોય છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં 54 ગામ આંજણા ચૌધરી સમાજે નવી પહેલ કરી છે. સમાજના યુવાઓને ફેશનેબલ દાઢી ન રાખવા ફરમાન કર્યું છે. જે યુવકો દાઢી રાખશે તેમની પાસેથી રૂપિયા 51 હજારનો દંડ વસૂલ કરવામાં આવશે. આ સિવાય પણ વિવિધ 22 જેટલા સુધારા કરી સમાજ સુધારણા માટે બેઠક યોજાઇ હતી.

વધુ સામાજિક સુધારણાની વાત કરીએ તો, મરણ પ્રસંગમાં વ્યસનને તીલાંજલિ નહીં આપનારને રૂપિયા 1 લાખનો દંડ કરાશે. મરણપ્રસંગમાં બારમાના દિવસે કોઈએ નહીં જવું. મહિલાઓએ રૂપિયા ન આપવા અને લેવા પણ નહીં. મરણ પામેલા સગાના ત્યાં વધુ લોકોને ભેગા નહીં થવું. મરણપ્રસંગમાં દીવો બાળવા માટે સગાઓને નહીં બોલાવવા સમાજની પહેલ છે અને પાછળથી રાખવામાં આવતો હાકો બંધ કરવાની સમાજની માગ છે.

ધાનેરાના 54 ગામ ચૉધરી-આંજણા સમાજ દ્વારા તેમના સમાજના વિકાસ અને પ્રગતિ માટે જે 22 મુદ્દાઓનો અમલ કરાયો છે અને તેમાંય યુવાનોને દાઢી રાખવા ઉપર તેમજ લગ્ન પ્રસંગમાં ડી.જે ઉપર પ્રતિબંધ, હોટલમાં જન્મદિવસ ઉજવવા ઉપર પ્રતિબંધ અને વ્યસન ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને તેનું કોઈ ઉલ્લંઘન કરે તો દંડની જોગવાઈ કરી છે જેને લઈને બનાસકાંઠા અને મહેસાણાના અન્ય પરગણા અને ગોળના ચૉધરી સમાજના લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે અને તેમના સમાજના ગોળમાં પણ આ નિયમો લાગુ થાય તેમ ઈચ્છી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...