Wednesday, March 4, 2026

અમદાવાદમાં SRPનો જવાન ચેઇન સ્નેચિંગ કરતાં ઝડપાયો, કેમ રક્ષક બન્યો ભક્ષક ?

spot_img
Share

અમદાવાદ :સામાન્ય રીતે રીઢા ગુનેગારો ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓને અંજામ આપતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. પરંતુ શહેરના નરોડા વિસ્તારમાં એક SRPનો જવાન જ ચેઇન સ્નેચિંગ કરતાં ઝડપાયો છે. મહીલાની ચેઇન ખેંચીને ભાગવા જતાં SRPના જવાનને લોકોએ ઝડપી લીધો હતો.ત્યારબાદ પોલીસને જાણ કરતા નરોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચેઇન સ્નેચિંગ યુવક પોતે પોલીસ કર્મચારી છે.

નરોડા ગામના પ્રજાપતિ વાસમાં રહેતા હંસાબેન પ્રજાપતિ સુમારે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ નરોડા પોલીસ સ્ટેશનની પાસે આવેલી રાજચંદ્ર સોસાયટી પાસેથી ચાલતા પસાર થતા હતા. તે દરમિયાન બાઇક લઈને એક શખસ આવ્યો હતો અને તેણે હંસાબેનના ગળામાં રહેલી ચેઈન ઝુંટવી લીધી હતી. જોકે મહિલાએ બૂમાબૂમ કરતા લોકો એકઠા થઇ ગયા હતા ચેઇન ઝૂંટવીને ભાગી રહેલા અમિતને પકડી પડ્યો હતો. ત્યાંથી પસાર થયા ટ્રાફીક પોલીસના જવાને પોલીસને જાણ કરતા પોલીસે મહિલાની ફરિયાદને આધારે અમિત પરમારની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત એક રિપોર્ટ મુજબ પોલીસે અમિત પરમારની પૂછપરછ કરતાં ચોકાવનારી વિગતો સામે આવી હતી. અમિત પરમાર SRPમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે અને નોકરીમાં ત્રણ દિવસની રજા મુકીને ચેઇન સ્નેચિંગ કરવા અમદાવાદ આવ્યો હતો. અમિતને દેવું થઈ ગયું હોવાથી રૂપિયાની જરૂર હોવાથી તેને તાત્કાલિક રૂપિયા મેળવવા આ શોર્ટકટ અપનાવ્યો હતો પણ પોલીસને હાથે પકડાઈ ગયો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમિત પરમાર પર ભૂતકાળમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

હાલ તો પોલીસે મહિલાની ફરિયાદને આધારે અમિત પરમારની ધરપકડ કરી છે. જોકે પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે આરોપી અમિતે અગાઉ કોઈ આવી ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ. જો અમિત ત્રણ દિવસ અમદાવાદ આવ્યો હોય તો કોઈ મોટી ચોરી કે લૂટ જેવી ઘટનાને અંજામ આપવાનો પ્લાન હતો કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...