Thursday, February 26, 2026

હવે મહેમદાબાદના સિદ્ધિવિનાયક મંદિરમાં પણ મોહનથાળનો પ્રસાદ મળશે

spot_img
Share

મહેમદાબાદ : શક્તિપીઠ અંબાજી ખાતે મોહનથાળનો પ્રસાદનો ભારે વિવાદ બાદ ચિકીની સાથે મોહનથાળનો પ્રસાદ યથાવત્ રાખવાનો નિર્ણય લેવો પડ્યો હતો. એ જ સમય દરમિયાન ભક્તોની ભાવનાને વાચા આપતાં મહેમદાવાદ નજીક આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં મોહનથાળનો પ્રસાદ 10 માર્ચથી શરૂ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મહમ્મદાબાદ પાસે સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ટ્રસ્ટ દ્વારા મંદિરમાં 10 માર્ચથી નિઃશુલ્ક મોહનથાળના પ્રસાદનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે.વધુમાં અંબાજી ખાતે ભક્તોને મોહનથાળના પ્રસાદ માટે પૈસા ખર્ચવા પડે છે જ્યારે આ સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોને પ્રસાદનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે. માત્ર એક જ મહિનામાં મંદિર ટ્રસ્ટ દ્વારા શુદ્ધ ઘીમાં તૈયાર કરવામાં આવેલા 1 લાખ કિલો મોહનથાળના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. જો કે લાડુનો પ્રસાદ પણ યથાવત રાખેલ છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રસાદ વિનામૂલ્યે ભક્તોને આપવામાં આવે છે. મંદિરમાં દર બીજા દિવસે લગભગ 3 હજાર કિલો મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આમ અત્યાર સુધીમાં 50 હજાર કિલો જેટલું મોહનથાળ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...