Saturday, May 9, 2026

હવે મહેમદાબાદના સિદ્ધિવિનાયક મંદિરમાં પણ મોહનથાળનો પ્રસાદ મળશે

spot_img
Share

મહેમદાબાદ : શક્તિપીઠ અંબાજી ખાતે મોહનથાળનો પ્રસાદનો ભારે વિવાદ બાદ ચિકીની સાથે મોહનથાળનો પ્રસાદ યથાવત્ રાખવાનો નિર્ણય લેવો પડ્યો હતો. એ જ સમય દરમિયાન ભક્તોની ભાવનાને વાચા આપતાં મહેમદાવાદ નજીક આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં મોહનથાળનો પ્રસાદ 10 માર્ચથી શરૂ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મહમ્મદાબાદ પાસે સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ટ્રસ્ટ દ્વારા મંદિરમાં 10 માર્ચથી નિઃશુલ્ક મોહનથાળના પ્રસાદનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે.વધુમાં અંબાજી ખાતે ભક્તોને મોહનથાળના પ્રસાદ માટે પૈસા ખર્ચવા પડે છે જ્યારે આ સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોને પ્રસાદનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે. માત્ર એક જ મહિનામાં મંદિર ટ્રસ્ટ દ્વારા શુદ્ધ ઘીમાં તૈયાર કરવામાં આવેલા 1 લાખ કિલો મોહનથાળના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. જો કે લાડુનો પ્રસાદ પણ યથાવત રાખેલ છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રસાદ વિનામૂલ્યે ભક્તોને આપવામાં આવે છે. મંદિરમાં દર બીજા દિવસે લગભગ 3 હજાર કિલો મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આમ અત્યાર સુધીમાં 50 હજાર કિલો જેટલું મોહનથાળ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...