Tuesday, February 24, 2026

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો વિસ્તરણને આપી લીલીઝંડી, હવે ગિફ્ટ સિટીથી શાહપુર સુધી દોડશે મેટ્રો

spot_img
Share

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી તાજેતરની કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ વિકાસ નિર્ણયો લેવામાં આવ્યા. બેઠક પછી માહિતી આપતા અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું કે કુલ 12236 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે.આ નિર્ણયોમાં અમદાવાદ મેટ્રોનો વિસ્તરણ પણ સામેલ છે. જે શહેર અને રાજ્ય માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા તીર્થમાં આયોજીત કેબિનેટની પ્રથમ બેઠકમાં દેશના વિકાસને નવી ઊંચાઈ બક્ષનારો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં જાણકારી આપી હતી કે કેબિનેટે 12236 કરોડના રોકાણવાળી વિકાસ પરિયોજનાઓ સહિત મોટા નીતિ વિષયક નિર્ણયો પર મોહર મારી છે.

કેબિનેટે અમદાવાદ મેટ્રોના ફેઝ–2B હેઠળ ગિફ્ટ સિટીથી IIT ગાંધીનગર નજીકના શાહપુર સુધી નવો કોરિડોર વિકસાવવાની મંજૂરી આપી છે. આ નવા રૂટની લંબાઈ આશરે 3.3 કિલોમીટર રહેશે અને તે સંપૂર્ણપણે એલિવેટેડ લાઇન તરીકે વિકસાવવામાં આવશે.આ વિસ્તરણ માટે અંદાજિત 1067 કરોડનો ખર્ચ થશે. સરકાર દ્વારા પ્રોજેક્ટ ચાર વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

આ વિસ્તરણથી ગિફ્ટ સિટી અને ગાંધીનગર વિસ્તાર વચ્ચે મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે. દરરોજ હજારો મુસાફરોને તેનો સીધો લાભ મળશે, તેમજ ટ્રાફિક ભાર ઘટાડવામાં પણ મદદ મળશે. આ નવી લાઇન કાર્યરત થતાં અમદાવાદ અને ગાંધીનગરનું કુલ મેટ્રો નેટવર્ક 71 કિલોમીટરથી વધુ લાંબું બની જશે. જે શહેરી પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...