Wednesday, March 11, 2026

અમદાવાદના નગરદેવી ભદ્રકાળી નગરચર્યાએ નીકળ્યા, માતાજીની યાત્રા જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની આજે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ સાવારે ભવ્ય નગરયાત્રા નીકળી. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરી કરી નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આ નગરયાત્રામાં માતાજીનો રથ, નાસિક ઢોલ, અખાડાના કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં વાહનોનો કાફલો જોડાયો.

અમદાવાદ આજે તેના 615મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરી રહ્યું છે. અત્યારે શહેરના નગરદેવી માં ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા શ્રદ્ધાળુઓના જયઘોષ સાથે શહેરના માર્ગો પર ફરી રહી છે. વહેલી સવારે નીજ મંદિરથી મેયર પ્રતિભા જૈન અને મંત્રીઓની ઉપસ્થિતિમાં આ યાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા નગરદેવીને સન્માનપૂર્વક ‘ગાર્ડ ઓફ ઓનર’ અર્પણ કરવામાં આવ્યું છે, જે દ્રશ્યો ભાવિકોના મન મોહી રહ્યા છે.

અત્યારે નગરયાત્રામાં ભજન મંડળીઓ અને અખાડાઓના કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. યાત્રા ત્રણ દરવાજા અને માણેકનાથ બાબાના મંદિરે પહોંચી છે, જ્યાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ગાંધી રોડ, ખાડિયા અને રાયપુર ચકલાના માર્ગો ‘જય ભદ્રકાળી’ ના નાદથી ગુંજી રહ્યા છે. રસ્તામાં ઠેર-ઠેર નગરદેવીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

નગરયાત્રા હવે ઢાળની પોળ થઈને મ્યુનિસિપલ કોઠા અને ત્યાંથી જમાલપુર જગન્નાથજીના મંદિર તરફ આગળ વધી રહી છે. ત્યારબાદ યાત્રા રિવરફ્રન્ટ પહોંચશે, જ્યાં સાબરમતી નદીની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાલક્ષ્મી માતાજીના મંદિર અને વસંત ચોક ગણેશ મંદિર થઈને યાત્રા મોડી સાંજે નિજ મંદિર પરત ફરશે.

નગરયાત્રાને પગલે સમગ્ર કોટ વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. અમદાવાદના સ્થાપના દિવસે નીકળેલી આ સવારી શહેરના ભવ્ય વારસાની ઝાંખી કરાવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...