Wednesday, April 15, 2026

ચાણક્યપુરીમાં પ્રેમસંબંધની અદાવતમાં ફાયરિંગ, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

spot_img
Share

અમદાવાદ : સોલા પોલીસ સ્ટેશન હદમાં આવેલ ચાણક્યપુરીમાં પ્રેમ પ્રકરણમાં યુવકે બહેનના પ્રેમી પર ફાયરિંગ કર્યું હતું. આરોપીની કાકાની દીકરી સાથે અન્ય યુવકને પ્રેમ સંબંધ હતો જેની અદાવત રાખીને પગમાં ફાયરિંગ કર્યું હતું. બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેમને સોલા પોલીસે ઝડપી પાડ્યા છે.આરોપીની ધરપકડ થયા બાદ પિતરાઈ બહેન સાથે પ્રેમસંબંધ હતો. આ પ્રેમસંબંધને કારણે મોન્ટુ દેસાઈએ આ અદાવત રાખી સહ-આરોપીઓ સાથે મળી આ ગુનાને અંજામ આપ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 15 ફેબ્રુઆરીએ ચાણક્યપુરીમાં બનેલી ફાયરિંગની ઘટના મામલે સોલા પોલીસને મહત્વની સફળતા મળી છે. આ કિસ્સામાં ફરિયાદી પ્રકાશ દેસાઈ પર દેશી કટ્ટાથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને લાકડી-ધોકા તથા હથોડા જેવા હથિયારો વડે હુમલો કરી તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ફરિયાદી પ્રકાશ દેસાઈ પોતાની એક્ટિવા પર બાલાજી ચાર રસ્તા, ચાંદલોડિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી, તેમની રેકી કરી, ઝાયલો ગાડી અને એક્ટિવા દ્વારા તેમનો પીછો કર્યો. ત્યારબાદ ફોરવ્હીલ ગાડીથી પ્રકાશભાઈની એક્ટિવાને ટક્કર મારી તેમને નીચે પાડી દીધા. ગેરકાયદેસર દેશી કટ્ટાથી ફાયરિંગ અને લાકડી, બેઝબોલ, હથોડા જેવા હથિયારોથી હુમલો થયો હતો.

પ્રકાશને ગાડી વડે ટક્કર મારતા પ્રકાશ એક્ટિવા પરથી નીચે પટકાયો હતો. જે બાદ પ્રકાશ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એક રાઉન્ડ પગમાં ગોળી વાગી હતી. પ્રકાશ પર લાકડી અને બેઝબોલથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓ નાસી ગયા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ફરિયાદી પ્રકાશભાઈનો આરોપી મોન્ટુ દેસાઈની પિતરાઈ બહેન સાથે પ્રેમસંબંધ હતો. આ પ્રેમસંબંધને કારણે સામાજિક રીતે સમાધાન થયું હોવા છતાં, મોન્ટુ દેસાઈએ આ અદાવત રાખી સહ-આરોપીઓ સાથે મળી આ ગુનાને અંજામ આપ્યો હતો.

આરોપી મોન્ટુ દેસાઈએ પોતાની પાસેના દેશી કટ્ટાથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેણે લોખંડના હથોડા વડે પ્રકાશભાઈના જમણા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી. સહ-આરોપીઓ અંકુરજી ઠાકોર અને પિન્ટુકુમાર નાઈએ પોતાની પાસેની લાકડીઓ અને બેઝબોલના ધોકા વડે પ્રકાશભાઈને માર માર્યો હતો. આ હુમલા દરમિયાન તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.

ફરિયાદ બાદ પોલીસે ચોક્કસ બાતમીના આધારે, ગુનામાં વપરાયેલા તમામ હથિયારો અને વાહનો સાથે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. ઝડપાયેલ આરોપી મોન્ટુભાઈ ઘેમરભાઈ વેરસીભાઈ દેસાઈ,અંકુરજી જકશીજી બાબુજી ઠાકોર,પિન્ટુકુમાર દિનેશભાઈ લલ્લુભાઈ નાઈ મૂળ પાટણના છે અને અમદાવાદમાં રહે છે. મોન્ટુ દેસાઈ મકાન દલાલીનું કામ કરે છે. અંકુર ઠાકોર રિક્ષા ડ્રાઈવિંગ કરે છે. પિન્ટુ નાઈ સોલા પેનલમાં મજૂરી અને AC ઇન્સ્ટોલેશનનું કામ કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...