Wednesday, March 11, 2026

ચાણક્યપુરીમાં પ્રેમસંબંધની અદાવતમાં ફાયરિંગ, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

spot_img
Share

અમદાવાદ : સોલા પોલીસ સ્ટેશન હદમાં આવેલ ચાણક્યપુરીમાં પ્રેમ પ્રકરણમાં યુવકે બહેનના પ્રેમી પર ફાયરિંગ કર્યું હતું. આરોપીની કાકાની દીકરી સાથે અન્ય યુવકને પ્રેમ સંબંધ હતો જેની અદાવત રાખીને પગમાં ફાયરિંગ કર્યું હતું. બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેમને સોલા પોલીસે ઝડપી પાડ્યા છે.આરોપીની ધરપકડ થયા બાદ પિતરાઈ બહેન સાથે પ્રેમસંબંધ હતો. આ પ્રેમસંબંધને કારણે મોન્ટુ દેસાઈએ આ અદાવત રાખી સહ-આરોપીઓ સાથે મળી આ ગુનાને અંજામ આપ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 15 ફેબ્રુઆરીએ ચાણક્યપુરીમાં બનેલી ફાયરિંગની ઘટના મામલે સોલા પોલીસને મહત્વની સફળતા મળી છે. આ કિસ્સામાં ફરિયાદી પ્રકાશ દેસાઈ પર દેશી કટ્ટાથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને લાકડી-ધોકા તથા હથોડા જેવા હથિયારો વડે હુમલો કરી તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ફરિયાદી પ્રકાશ દેસાઈ પોતાની એક્ટિવા પર બાલાજી ચાર રસ્તા, ચાંદલોડિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી, તેમની રેકી કરી, ઝાયલો ગાડી અને એક્ટિવા દ્વારા તેમનો પીછો કર્યો. ત્યારબાદ ફોરવ્હીલ ગાડીથી પ્રકાશભાઈની એક્ટિવાને ટક્કર મારી તેમને નીચે પાડી દીધા. ગેરકાયદેસર દેશી કટ્ટાથી ફાયરિંગ અને લાકડી, બેઝબોલ, હથોડા જેવા હથિયારોથી હુમલો થયો હતો.

પ્રકાશને ગાડી વડે ટક્કર મારતા પ્રકાશ એક્ટિવા પરથી નીચે પટકાયો હતો. જે બાદ પ્રકાશ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એક રાઉન્ડ પગમાં ગોળી વાગી હતી. પ્રકાશ પર લાકડી અને બેઝબોલથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓ નાસી ગયા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ફરિયાદી પ્રકાશભાઈનો આરોપી મોન્ટુ દેસાઈની પિતરાઈ બહેન સાથે પ્રેમસંબંધ હતો. આ પ્રેમસંબંધને કારણે સામાજિક રીતે સમાધાન થયું હોવા છતાં, મોન્ટુ દેસાઈએ આ અદાવત રાખી સહ-આરોપીઓ સાથે મળી આ ગુનાને અંજામ આપ્યો હતો.

આરોપી મોન્ટુ દેસાઈએ પોતાની પાસેના દેશી કટ્ટાથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેણે લોખંડના હથોડા વડે પ્રકાશભાઈના જમણા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી. સહ-આરોપીઓ અંકુરજી ઠાકોર અને પિન્ટુકુમાર નાઈએ પોતાની પાસેની લાકડીઓ અને બેઝબોલના ધોકા વડે પ્રકાશભાઈને માર માર્યો હતો. આ હુમલા દરમિયાન તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.

ફરિયાદ બાદ પોલીસે ચોક્કસ બાતમીના આધારે, ગુનામાં વપરાયેલા તમામ હથિયારો અને વાહનો સાથે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. ઝડપાયેલ આરોપી મોન્ટુભાઈ ઘેમરભાઈ વેરસીભાઈ દેસાઈ,અંકુરજી જકશીજી બાબુજી ઠાકોર,પિન્ટુકુમાર દિનેશભાઈ લલ્લુભાઈ નાઈ મૂળ પાટણના છે અને અમદાવાદમાં રહે છે. મોન્ટુ દેસાઈ મકાન દલાલીનું કામ કરે છે. અંકુર ઠાકોર રિક્ષા ડ્રાઈવિંગ કરે છે. પિન્ટુ નાઈ સોલા પેનલમાં મજૂરી અને AC ઇન્સ્ટોલેશનનું કામ કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...