Thursday, March 19, 2026

અમદાવાદના આ વિસ્તારમાં જુગારધામ પર SMCના દરોડા, 18 જુગારીઓની ધરપકડ, સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર પોલીસની રેડ થઈ રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરના સિંધુભવન વિસ્તારની તાજ હોટેલમાંથી જુગાર રમતા મોટા માથાઓ પકડાયા હતાં. ત્યારે હવે શહેરના ચાંદખેડા વિસ્તારમાં SMC દ્વારા દરોડા દરમ્યાન 18 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચાર આરોપી ફરાર થઈ જતાં વોન્ટેડ છે.

અમદાવાદમાં શહેરમાં સ્થાનિક પોલીસની રહેમનજર બાદ દારૂ જુગાર મામલે હવે SMC સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે SMCએ શહેરના અલગ અલગ વિસ્તારમાં કામગીરી કરવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન બાતમી મળતા SMC દ્વારા ચાંદખેડા વિસ્તારમાં ચાંદખેડા ગામ વાડાતળાવના કાંઠા વિસ્તારમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતાં SMC દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન સેલ દ્વારા જુગાર રમતાં 18 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેમની સાથે રહેલા બીજા ચાર આરોપીઓ ફરાર થઈ જતાં તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. આરોપીઓની તપાસ હાથ ધરીને SMC દ્વારા વધુ શોધખોળ શરૂ કરવામાં આવી છે. SMCએ રેડ દરમિયાન 37 હજાર રૂપિયા રોકડા, 259ના કોઈન, 9 નંગ મોબાઈલ, પાંચ વાહનો થઈ કુલ 2.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

તમને જણાવી દઈ આ અગાઉ પણ ચાંદખેડા પોલીસ સ્ટેશન દારૂ-જુગારના કારણે સતત બદનામ રહે છે. વિજિલન્સ અને PCB એ પણ આ વિસ્તારમાં રેડ કરી હતી. ત્યારે ફરી એક વખત આટલો મોટો જુગારધામ જડપાતા સ્થાનિક પોલીસની કામગીરીને લઈને ફરી સવાલો ઉપસ્થિત થઇ રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...