Thursday, September 18, 2025

અમદાવાદની આ નામાંકિત સ્કૂલમાં તમારું બાળક ભણે છે? તો સ્કૂલે ઉઘરાવેલી વધારાની ફી પરત મળશે!

Share

Share

અમદવાદ : શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલ નિરમા સ્કૂલ દ્વારા FRCની મંજૂરી વિના ફીમાં 40 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.આ અંગે વાલીઓએ DEO કચેરીમાં ફરિયાદ કરી હતી.વાલીઓની ફરિયાદને લઈને DEO એ સ્કૂલને નોટિસ ફટકારી હતી, પરંતુ સ્કૂલ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં ના આવતા DEO દ્વારા સ્કૂલને વધારાની ફી પરત આપવા આદેશ કરવામાં આવ્યો છે.સ્કૂલે વસુલેલી વધારાની ફી પરત કરવા અથવા નવા કવાર્ટરમાં ફી સરભર કરવા આદેશ કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ નિરમા સ્કૂલ દ્વારા ફી વધારા માટેની દરખાસ્ત FRC માં કરાઈ છે, જે હજુ પેન્ડિંગ છે. મંજૂરી મળ્યા વગર નિરમા સ્કૂલે 88 હજારને બદલે 1.24 લાખ જેટલી ફી વસૂલવાની શરૂઆત કરી હતી. પ્રથમ કવાર્ટરમાં 22 હજારને બદલે 31 હજાર રૂપિયા ફી વસૂલી હતી. નિયમ મુજબ સ્કૂલ 5 ટકાનો ફી વધારો કરી શકે પરંતુ નિરમા સ્કૂલના સંચાલકોએ 40 ટકા ફી વધારો ઝીંક્યો હતો, વસુલેલી વધારાની ફી પરત કરવા DEO એ વાલીઓની ફરિયાદ બાદ આદેશ કર્યો હતો.

નિયમ મુજબ 5 ટકાથી વધારે ફી માં વધારો કરી શકાય નહીં છતાં નિરમાં સ્કૂલે 40 ટકાનો વધારો કર્યો છે.DEOએ નોટિસ ફટકારી હતી પરંતુ સ્કૂલ તરફથી યોગ્ય જવાબ આપવામાં ના આવતા DEO દ્વારા સ્કૂલને વધારાની ફી પરત આપવા આદેશ કરવામાં આવ્યો છે અથવા સ્કૂલે વધારાની ફી આગળના વર્ષ માટે સરભર કરવાની રહેશે. સ્કૂલ આદેશનું પાલન ના કરે તો સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બેફામ ફી વધારાથી વાલીઓને ભારે આર્થિક બોજ પડી રહ્યો હતો જેથી વાલીઓએ DEOને ફરિયાદ કરી હતી.DEO દ્વારા ફી વધારા મામલે સ્કૂલને 2 દિવસમાં ખુલાસો આપવા નોટિસ આપવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...