Thursday, March 12, 2026

અમદાવાદની આ નામાંકિત સ્કૂલમાં તમારું બાળક ભણે છે? તો સ્કૂલે ઉઘરાવેલી વધારાની ફી પરત મળશે!

spot_img
Share

અમદવાદ : શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલ નિરમા સ્કૂલ દ્વારા FRCની મંજૂરી વિના ફીમાં 40 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.આ અંગે વાલીઓએ DEO કચેરીમાં ફરિયાદ કરી હતી.વાલીઓની ફરિયાદને લઈને DEO એ સ્કૂલને નોટિસ ફટકારી હતી, પરંતુ સ્કૂલ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં ના આવતા DEO દ્વારા સ્કૂલને વધારાની ફી પરત આપવા આદેશ કરવામાં આવ્યો છે.સ્કૂલે વસુલેલી વધારાની ફી પરત કરવા અથવા નવા કવાર્ટરમાં ફી સરભર કરવા આદેશ કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ નિરમા સ્કૂલ દ્વારા ફી વધારા માટેની દરખાસ્ત FRC માં કરાઈ છે, જે હજુ પેન્ડિંગ છે. મંજૂરી મળ્યા વગર નિરમા સ્કૂલે 88 હજારને બદલે 1.24 લાખ જેટલી ફી વસૂલવાની શરૂઆત કરી હતી. પ્રથમ કવાર્ટરમાં 22 હજારને બદલે 31 હજાર રૂપિયા ફી વસૂલી હતી. નિયમ મુજબ સ્કૂલ 5 ટકાનો ફી વધારો કરી શકે પરંતુ નિરમા સ્કૂલના સંચાલકોએ 40 ટકા ફી વધારો ઝીંક્યો હતો, વસુલેલી વધારાની ફી પરત કરવા DEO એ વાલીઓની ફરિયાદ બાદ આદેશ કર્યો હતો.

નિયમ મુજબ 5 ટકાથી વધારે ફી માં વધારો કરી શકાય નહીં છતાં નિરમાં સ્કૂલે 40 ટકાનો વધારો કર્યો છે.DEOએ નોટિસ ફટકારી હતી પરંતુ સ્કૂલ તરફથી યોગ્ય જવાબ આપવામાં ના આવતા DEO દ્વારા સ્કૂલને વધારાની ફી પરત આપવા આદેશ કરવામાં આવ્યો છે અથવા સ્કૂલે વધારાની ફી આગળના વર્ષ માટે સરભર કરવાની રહેશે. સ્કૂલ આદેશનું પાલન ના કરે તો સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બેફામ ફી વધારાથી વાલીઓને ભારે આર્થિક બોજ પડી રહ્યો હતો જેથી વાલીઓએ DEOને ફરિયાદ કરી હતી.DEO દ્વારા ફી વધારા મામલે સ્કૂલને 2 દિવસમાં ખુલાસો આપવા નોટિસ આપવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...