Thursday, January 15, 2026

અમદાવાદમાં સતત બીજા દિવસે આગની ઘટના, ચાંદખેડામાં પેલેડિયમ બિઝનેસ હબમાં લાગેલી આગ કાબૂમાં

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ગઈકાલે સાયન્સ સીટી વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્સમાં લાગેલ આગ બાદ સતત બીજા દિવસે ચાંદખેડા વિસ્તારમાં પેલેડિયમ બિઝનેસ હબમાં આગનો બનાવ બન્યો હતો. શનિવારના બપોરના સમયે એકાએક ચાંદખેડા વિસ્તારના જાણીતા પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આગ લાગી હતી. જે અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ ફાયર વિભાગના કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમતબાદ આગ કાબૂમાં આવી હતી. આ આગને લીધે આસપાસના લોકોમાં ભયનો માહોલ જામ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ચાંદખેડામાં આવેલા વિસત ગાંધીનગર હાઈવે પર 4D મૉલની સામે આવેલા પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આવેલા મલબેરી થાઈ સ્પા નામના સ્પા સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં 6થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયરના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી હતી.હાલ તકેદારીના ભાગરૂપે તાત્કાલિક બિલ્ડિંગનું કોમ્પલેક્ષ સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાનિના કે કોઈ ફસાયું હોવાના અહેવાલ નથી.

આગના ગોટેગોટા દેખાતા આસપાસના લોકોમાં ડરનો માહોલ દેખાયો છે. હાલ આગ લાગવાનું કારણ કોઈ ચોક્કસ સામે આવ્યું નથી. પોલીસ અને ફાયરના જવાનો દ્વારા આગના બનાવનું કારણ શોધવામાં આવી રહ્યું છે. પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આવેલા એક શૉ રૂમમાં આગ લાગી હતી. આ ભીષણ આગમાં માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

આગ બુઝાવવાની કામગીરી માટે કુલ 17 વાહનો સ્થળ પર કાર્યરત કરવામાં આવ્યા હતા, જેમાં 5 વોટર બાઉઝર (20 KL), 2 મિનિ ફાઇટર, 6 ફર્સ્ટ રિસ્પોન્ડર (બોલેરો), 2 એમ્બ્યુલન્સ, 1 ફર્સ્ટ રિસ્પોન્ડર સોકરપ્યો તથા 1 ઇમર્જન્સી ટેન્ડરનો સમાવેશ થાય છે. આગ પર કાબૂ મેળવવા માટે કુલ અંદાજિત 1,00,000 લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરીમાં કુલ 56 ફાયર કર્મચારીઓ જોડાયા હતા.

આ અગાઉ સાયન્સસિટી વિસ્તારમાં આવેલા આવેલા પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સના ત્રીજા માળે બની હતી. કોમ્પ્લેક્સમાંથી લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાના મેસેજ મળતાં ફાયર બ્રિગેડની આઠ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં 50 જેટલા લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...