Monday, September 15, 2025

અમદાવાદમાં પિતાને શંકા જતા દીકરીનું વોટ્સએપ હેક કર્યું, મેસેજ ચેક કરતા 20 બોયફ્રેન્ડ હોવાનું ખૂલ્યું

Share

Share

અમદાવાદ : શહેરના નારોલ વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 20 વર્ષની કોલેજિયન યુવતીએ એક-બે નહીં પરંતુ 20 પ્રેમીઓ બનાવ્યા હતા. યુવતી રોજ મોડી રાત્રે ઘરે આવતી. માતા-પિતા કંઈ પૂછે તો ઘર છોડીને ભાગી જવાની અને આપઘાત કરી લેવાની ધમકી આપતી હતી.યુવતીને રોજ રાત્રે અલગ અલગ યુવકો ઘરે મૂકવા આવતા હોવાથી આખરે પિતાએ તેને સમજાવવા પ્રયાસ કર્યો, પરંતુ યુવતી ન માનતા અભયમની મદદ લેવમાં આવી હતી. અભયમની ટીમે યુવતી તથા તેના પ્રેમીનું કાઉન્સેલિંગ કરીને સમાધાન કરાવ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, નારોલમાં રહેતા 49 વર્ષના આધેડને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. જેમાં સૌથી મોટી 20 વર્ષની દીકરી કોલેજમાં અભ્યાસ કરે છે. જોકે કોલેજ બંધ હોય તો પણ દીકરી બહાર રહેતી. જો માતા-પિતા કંઈ પૂછે તો ઘર છોડીને ભાગી જવાની ધમકી આપતી હતી. આથી પિતાએ એક દિવસ દીકરીનો ફોન હેક કર્યો હતો. દીકરીનું વોટ્સએપ જોતા તેને ઘણા બધા પ્રેમીઓ હોવાનું સામે આવ્યું હતું. પ્રેમીઓ સાથે દીકરીનું ચેટ વાંચીને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે બધા યુવકો સાથે બિભત્સ વાતો કરતી હતી. જેમાંથી એક પ્રેમી તો યુવતીને લગ્ન કરવાનું કહેતો અને ધમકી આપતો. પિતાએ દીકરીને સમજાવતા તેણે આપઘાત કરી લેવાની ધમકી આપી દીધી. આથી તેમણે અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો.

આથી અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું અને તેને સમજાવીને સારા ભવિષ્ય માટે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. સાથે જ લગ્ન કરવાની વાતો કરનારા પ્રેમીને પણ બોલાવીને સમજાવ્યો હતો. આખરે યુવતીને તેની ભૂલ સમજાતા તેણે પિતાની માફી માંગી હતી અને ફરીથી આ પ્રકારનું કામ નહીં કરે તેવી બાંહેધરી આપી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...