Tuesday, February 10, 2026

અમદાવાદમાં પિતાને શંકા જતા દીકરીનું વોટ્સએપ હેક કર્યું, મેસેજ ચેક કરતા 20 બોયફ્રેન્ડ હોવાનું ખૂલ્યું

spot_img
Share

અમદાવાદ : શહેરના નારોલ વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 20 વર્ષની કોલેજિયન યુવતીએ એક-બે નહીં પરંતુ 20 પ્રેમીઓ બનાવ્યા હતા. યુવતી રોજ મોડી રાત્રે ઘરે આવતી. માતા-પિતા કંઈ પૂછે તો ઘર છોડીને ભાગી જવાની અને આપઘાત કરી લેવાની ધમકી આપતી હતી.યુવતીને રોજ રાત્રે અલગ અલગ યુવકો ઘરે મૂકવા આવતા હોવાથી આખરે પિતાએ તેને સમજાવવા પ્રયાસ કર્યો, પરંતુ યુવતી ન માનતા અભયમની મદદ લેવમાં આવી હતી. અભયમની ટીમે યુવતી તથા તેના પ્રેમીનું કાઉન્સેલિંગ કરીને સમાધાન કરાવ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, નારોલમાં રહેતા 49 વર્ષના આધેડને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. જેમાં સૌથી મોટી 20 વર્ષની દીકરી કોલેજમાં અભ્યાસ કરે છે. જોકે કોલેજ બંધ હોય તો પણ દીકરી બહાર રહેતી. જો માતા-પિતા કંઈ પૂછે તો ઘર છોડીને ભાગી જવાની ધમકી આપતી હતી. આથી પિતાએ એક દિવસ દીકરીનો ફોન હેક કર્યો હતો. દીકરીનું વોટ્સએપ જોતા તેને ઘણા બધા પ્રેમીઓ હોવાનું સામે આવ્યું હતું. પ્રેમીઓ સાથે દીકરીનું ચેટ વાંચીને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે બધા યુવકો સાથે બિભત્સ વાતો કરતી હતી. જેમાંથી એક પ્રેમી તો યુવતીને લગ્ન કરવાનું કહેતો અને ધમકી આપતો. પિતાએ દીકરીને સમજાવતા તેણે આપઘાત કરી લેવાની ધમકી આપી દીધી. આથી તેમણે અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો.

આથી અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું અને તેને સમજાવીને સારા ભવિષ્ય માટે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. સાથે જ લગ્ન કરવાની વાતો કરનારા પ્રેમીને પણ બોલાવીને સમજાવ્યો હતો. આખરે યુવતીને તેની ભૂલ સમજાતા તેણે પિતાની માફી માંગી હતી અને ફરીથી આ પ્રકારનું કામ નહીં કરે તેવી બાંહેધરી આપી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...