Tuesday, March 10, 2026

નારણપુરામાં સૂર્યા એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટની સામેની અપીલમાં અરજદારો પ્રત્યે HCની ગંભીર નારાજગી

spot_img
Share

અમદાવાદ : નારણપુરામાં આવેલ મીડલ ઇન્કમ ગ્રુપ-MIGના સૂર્યા એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટના મુદ્દે થયેલી અપીલને રદ કરતાં હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે. દેસાઇ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે અરજદારોના વલણ પ્રત્યે ભારે નારાજગી અને અણગમો વ્યક્ત કર્યો હતો. અપીલકર્તા દ્વારા સિંગલ જજ સમક્ષ જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા, એમાંથી કેટલાક દસ્તાવેજો ખંડપીઠ સમક્ષ રજૂ કર્યા નહોતા અને એવી દલીલ કરી હતી કે કોઇ ડોક્યુમેન્ટસ મળ્યા નથી. જોકે હકીકતમાં તમામ દસ્તાવેજો સિંગલ જજ સમક્ષ જ રજૂ કરી દેવાયા હતા. તેમ છતાંય અપીલકર્તા તરફથી એ હકીકત કોર્ટથી છૂપાવાઇ હતી. તેથી ખંડપીઠે આવા વલણની આકરી ટીકા કરી અરજદારોને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ નારણપુરા વિસ્તારની સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-3 કોલીનીના કુલ 132 સભ્યોમાંથી 122 સભ્યો રિડેવલપમેન્ટમાં સંમત થયેલ અને 10 જેટલા અસંમત સભ્યો હાઈકોર્ટમાં શરણું લીધું હતું. જેમાં સિંગલ જજનો હુકમ બહુમત રહીશોની તરફેણમાં આવ્યો હોવા છતાં અપીલકર્તા ફરીથી હાઈકોર્ટમાં ખંડપીઠ સમક્ષ એલપીએ લેટર્સ પેટન્ટ અપીલ ફાઇલ કરેલ, જેમાં સિંગલ જજ સામે ઘણા મુદ્દા ઉપાડ્યા હતા, તે બધા બાબતે સિંગલ જજ વડે વિચાર કરીને પિટિશન રિજેક્ટ કરેલ ને એમાંથી એક મુદ્દો કે રેસિડેન્શિયલ સોસાયટીમાં કોમર્શિયલ બાંધકામ ના થઈ શકે તેવા ગ્રાઉન્ડ સાથે અપીલ કરી હતી.

વધુમાં અપીલકર્તાઓએ પોતાની અપીલમાં એક બીજો મુદ્દો લીધો હતો કે તે લોકો પાસે રિડેવલપમેન્ટને લગતી કોઈ લેખીત વિગત નથી, જે તે લોકોને સિંગલ જજ સમક્ષ આપવામાં આવી હતી, તેમ છતાં અપીલકર્તાએ ખંડપીઠ સમક્ષ દબાવ કરેલ તથા જરૂરી દસ્તાવેજી પૂરાવા ના મૂકતા ખંડપીઠે આવા વલણની આકરી ટીકા કરી અરજદારોને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો હતો.જોકે અમે અપીલકર્તાઓ તરફથી એડવોકેટ દ્વારા માંગવામાં આવેલી બિનશરતી માફીને ગ્રાહ્ય રાખીએ છીએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...